દશેરાના દિવસે ભારતને ફ્રાંસ તરફથી પહેલું યુદ્ધ વિમાન રાફેલ મળી ગયું છે. જેને લઈને રક્ષામંત્રી રાજનાથ સિંહે ફ્રાંસમાં શસ્ત્ર પૂજા કરવાની સાથે રાફેલ વિમાનને રિસીવ કર્યુ. આ દરમિયાન નાળિયેર, ઓમનું નિશાન અને પૈડા નીચે બે લીંબુ રાખવામાં આવ્યા. પરંતુ હવે તેને લઈને ભારતમાં રાજકારણ ગરમાયું છે. કોંગ્રેસ નેતા સંદીપ દીક્ષિતે રાફેલના શસ્ત્રપૂજનને ડ્રામા ગણાવ્યો. તો ગૃહમંત્રીએ તેનો વળતો જવાબ આપતા કોંગ્રેસ દેશની પરંપરાથી ખુશ ન હોવાનો આરોપ લગાવ્યો.