મિસાઈલ મેનના નામથી જાણીતા દેશના પૂર્વ રાષ્ટ્રપતિ એપીજે અબ્દુલ કલામ આજેપણ લાખો લોકોના દિલમાં જીવંત છે. ભારત રત્નથી સન્માનિત વૈજ્ઞાનિક અને એન્જિનિયર એપીજે અબ્દુલ કલામના જીવનમાં અનેક ઉતારચઢાવ આવ્યા. પરંતુ તેનાથી તે ડગ્યા નહીં અને પોતાના સપનાને પણ મરવા ન દીધા. જેના કારણે તેમણે દેશ અને દુનિયામાં એક શ્રેષ્ઠ વૈજ્ઞાનિક તરીકેની ઓળખ બનાવી.