જમ્મુ કાશ્મીરના પુલવામામાં 14 ફેબ્રુઆરીએ જૈશ-એ-મોહમ્મદના આતંકીઓએ CRPFના કાફલા પર હુમલો કર્યો હતો. ત્યારે આખા દેશમાં ગુસ્સો હતો. તેના જવાબમાં ભારતીય વાયુસેનાએ પાકિસ્તાનના બાલાકોટમાં ઘૂસીને એર સ્ટ્રાઈક કરી હતી. આ એરસ્ટ્રાઈકમાં વાયુસેનાએ જૈશ-એ-મોહમ્મદના આતંકી અડ્ડાઓ પર બોમ્બ વરસાવીને તેનો ખાતમો બોલાવ્યો હતો.