ભાજપે કર્ણાટકમાં સરકાર બનાવવાનો દાવો રજુ કરી દીધો છે. એકવાર ફરીથી બીએસ યેદિયુરપ્પા મુખ્યમંત્રી પદની શપથ ગ્રહણ કરવા જઇ રહ્યા છે. બેંગ્લુરૂમાં આજે સાંજે 6 વાગ્યે બીએસ યેદિયુરપ્પા પદ અને ગુપ્તતાની શપથ લાધા. તેઓ પોતાનાં ઘરેથી ભાજપ કાર્યાલય પહોંચ્યાં. અહીં નેતાઓ અને સાથીઓ સાથે મુલાકાત યોજી હતી ત્યાર બાદ યેદિયુરપ્પાએ બેંગ્લુરૂનાં ખાંડુ મલ્લેશ્વર મંદિરમાં પણ દર્શન કર્યા હતા. આ દરમિયાન તેમની સાથે ધારાસભ્યો અને પાર્ટી નેતાઓ પણ હતા.