રાજ્ય સરકારના વિકાસ કમિશ્નર દ્વારા 4 જાન્યુઆરીના પરિપત્રથી સરકારના વર્ગ-1 અને 2ના અધિકારીઓની ચેમ્બર અને વાહનમાંથી 15 દિવસમાં AC દૂર કરવા આદેશ કર્યો છે. જે આદેશના 15 દિવસો પુરા થઈ ગયા છે. ત્યારે જિલ્લામાં કેટલા અધિકારીઓની કચેરીમાંથી AC દૂર કરાયા કે નહીં તે વિશે રાજ્યની અલગ અલગ જીલલા પંચાયત ભવનમાં ઝી 24 કલાક દ્વારા રિયાલિટી ચેક કરવામાં આવ્યું હતું.