અમદાવાદનાં માધુપુરા ખાતે આવેલા વર્ષો જુના રામજી મંદિર ખાતે છેલ્લા 2 વર્ષથી માધુપુરાનાં નિવાસી અને અમદાવાદ સીટી સિવિલ સેશન્સ કોર્ટનાં યુવા ધારાશાસ્ત્રી ભાવિન ભાવસાર દ્વારા દરિદ્રનારાયણની સેવા માટે અનોખો ખીચડી પ્રસાદ મહાયજ્ઞ શરુ કરવામાં આવ્યો છે. માધુપુરાનાં રામજી મંદિર ખાતે છેલ્લા 2 વર્ષથી દર શનિવારે ભૂખ્યા ગરીબોને સાંજે 6 વાગે ખીચડીનો પ્રસાદ ભગવાન રામની શરણમાં મફતમાં આપવામાં આવે છે.