વડાપ્રધાન મોદીએ પશ્ચિમ બંગાળમાં થયેલા હાલના ઘટનાક્રમ બાદ Zee Media સાથે ખાસ વાતચીત કરી હતી. વડાપ્રધાન મોદીએ કહ્યું કે, મમતા દીદી ભલે ગાળો બોલે પરંતુ અમારુ કામ ગલીઓનો વિકાસ કરવાનો છે. પોતાની હાર ભાળી ગયેલ મમતા દીદી હવે ગાળો પર ઉતરી આવ્યા છે. જો કે તેમણે મા, માટી અને માનુષને જવાબ આપવો પડશે. હવે જનતા દીદીની દાદાગીરી નહી સાંખી લે.