વલસાડના ભીલાડમાં દુકાન મોડે સુધી ચાલુ રાખતા પોલીસની દંડાવાળી સામે આવી છે. ભીલાડના વેપારી અને કર્મચારીને પી.એસ.આઈએ લાકડા વડે ઢોર માર માર્યોનો આક્ષેપ કર્યો છે. આશાપુરા પાન કોર્નરના વેપારીએ 11 વાગ્યા સુધી દુકાન ચાલુ રાખવાને લઇને બબાલ થઇ હતી. પોલીસે આવી દુકાનદાર ને દુકાન બંધ કરવાનું કહેતા દુકાનદારે અન્ય દુકાનો મોડે સુધી ચાલે છે. એ કહેતા જ ગુસ્સે થયેલા પી એસ આઈ. એ દંડાવાળી કરી હતી. સમગ્ર ઘટના સીસીટીવીમાં થઈ કેદ હતી. ઘટનાને પગલે વેપારીએ જિલ્લા ડી.એસ.પી.ને લેખિતમાં ફરિયાદ કરી છે.