કાઠમંડુઃ ભારતના પડોશી દેશ નેપાળની રાજધાની કાઠમંડુમાં રવિવારે 3 વિસ્ફોટ થયા છે, જેમાં 4 લોકોનાં મોત થયા છે, જ્યારે 7 અન્ય ઘાયલ થયા છે. આ વિસ્ફોટનું કારણ હજુ સ્પષ્ટ થયું નથી. નેપાળની પોલીસે જણાવ્યું કે, આ વિસ્ફોટ પાચળ માઓવાદી સંગઠનોનો હાથ હોવાની આશંકા છે. પોલીસે જણાવ્યું કે, આ વિસ્ફોટ પાછળનું કારણ જાણવા માટે વધુ તપાસ ચાલુ છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સમાચાર એજન્સી રોઈટર્સના જમાવ્યા મુજબ પ્રથમ વિસ્ફોટ કાઠમંડુ શહેરના વચ્ચેવચ્ચ આવેલા વિસ્તારમાં થયો હતો. ઘાતેકુલો રહેણાક વિસ્તારમાં એક ઘરમાં થયેલા વિસ્ફોટમાં એક વ્યક્તિનું મોત થયું હતું. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, વિસ્ફોટ એટલો ભયાનક હતો મકાનની દિવાલોને પણ નુકસાન પહોંચ્યું હતું. બીજો વિસ્ફોટ કાઠમંડુના બહારના વિસ્તાર સુકેધારામાં થયો હતો. ત્રીજો વિસ્ફોટ થાનાકોટ વિસ્તારમાં થયો હતો. 


ડોનાલ્ડ ટ્રમ્પની જાપાનના પીએમ સાથે મુલાકાત, રમ્યા ગોલ્ફ અને કરી ચર્ચા 


ઉલ્લેખનીય છે કે, ગયા મહિને ઈસ્ટર પ્રસંગે શ્રીલંકામાં થયેલા 9 શ્રેણીબદ્ધ વિસ્ફોટમાં આખો દેશ હચમચી ગયો હતો. આ હુમલામાં 258 લોકનાં મોત થયા હતા અને 500થી વધુ ઘાયલ થયા હતા. શ્રીલંકાની પોલીસે આ વિસ્ફોટમાં સ્થાનિક ઈસ્લામિક સંગઠન નેશનલ તૌહીદ જમાન અને તેના વડા જાહરાન કાસિમ સાથે કથીત રીતે જોડાયેલા પાંચ શંકાસ્પદની ધરપકડ કરી હતી. 


જૂઓ LIVE TV...


દુનિયાના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક...