ન્યૂયોર્કઃ અમેરિકાના ન્યૂયોર્કમાં ભારતીય મૂળની મહિલા મનદીપ કૌરે આત્મહત્યા કરી લીધી છે. અમેરિકામાં આત્મહત્યા કરનારી મનદીપ કૌરના મામલામાં હવે ચોંકાવનારો ખુલાસો થયો છે મનદીપ કૌરના પરિવારજનોએ તેના પતિ અને સાસરા પક્ષના લોકો પર તેને માનસિક ત્રાસ આપવાનો આરોપ લગાવ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મનદીપ કૌરની બહેન કુલદીપ કૌરે આરોપ લગાવ્યો કે પતિ અને પરિવારજનો તેની પાસે એક પુત્ર ઈચ્છતા હતા. સાસરા પક્ષના લોકોએ દહેજમાં 50 લાખ રૂપિયા માંગી રહ્યાં હતા અને તેને લઈને મનદીપ કૌર સાથે મારપીટ કરવામાં આવી રહી હતી. જ્યારે તે ન થયું તો તેમણે મારી બહેનને આત્મહત્યા કરવા પર મજબૂર કરી. 


સમાચાર એજન્સી એએનઆઈના રિપોર્ટ પ્રમાણે કુલદીપ કૌરે આરોપ લગાવ્યો કે લગ્ન બાદ મનદીપ તેને માનસિક ત્રાસ આપી રહ્યો હતો. કુલદીપ પ્રમાણે મનદીપના લગ્ન ફેબ્રુઆરી 2015મા થયા હતા. લગ્ન બાદ પરિવારના લોકો અને મનદીપ અમેરિકાના ન્યૂયોર્ક જતા રહ્યાં અને ત્યાં તેને હેરાન કરવાનું શરૂ કરી દીધું હતું. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube