Study On UK Election: બ્રિટનમાં જો આવતીકાલે વચગાળાની ચૂંટની યોજાય છે તો બ્રિટિશ ભારતીય મતદારોનું વલણ મહત્વપૂર્ણ સાબિત થઇ શકે છે. એક નવા રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ગ્રુપના દસ સભ્યોમાંથી ચાર સભ્યોનું વલણ લેબર પાર્ટી તરફ છે જ્યારે સત્તારૂઢ કંજરવેટિવ પાર્ટીના પક્ષમાં છે. બ્રિટેન્યૂસ ન્યૂ સ્વિંગ વોટર્સ? અ સર્વે ઓફ બ્રિટિશ ઇન્ડીયન એટિટ્યૂડ્સ નામના રિપોર્ટ 'કાર્નેગી એંડોમેન્ટ ફોર ઇન્ટરનેશનલ પીસ' અને 'જોન હોપકિન્સ યૂનિવરસિટી સ્કૂલ ઓફ એડવાન્સ ઇન્ટરનેશનલ સ્ટડીઝ' દ્વારા તૈયાર કરવામાં આવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

30 જુલાઇથી 16 ઓગસ્ટ 2021 વચ્ચે સર્વેક્ષણ
ધ સર્વે ઓફ બ્રિટિશ ઇન્ડીયન એટિટ્યૂડ્સ (SBIA) નામનો સર્વે 30 જુલાઇથી 16 ઓગસ્ટ 2021 વચ્ચે કરવામાં આવ્યું છે. આ ઓગસ્ટ 2021 વચ્ચે કરવામાં આવ્યો. આ સર્વેમાં 792 બ્રિટિશ ભારતીય પાત્ર મતદારોને સામેલ કરવામાં આવ્યા. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે દસમાં ચાર બ્રિટિશ ભારતીયનું વલણ લેબર પાર્ટી તરફ છે, ત્રણ ભારતીય કંજરવેટિવ પાર્ટીના સમર્થનમાં છે જ્યારે એક ભારતીય નાના તથા અન્ય પક્ષોના દળોના પક્ષધરમાં છે. જોકે સંબંધિત પુરાવા બતાવે છે કે લેબર પાર્ટીના માટે બ્રિટિશ ભારતીયોના સમર્થનમાં સ્પષ્ટ રૂપથી ઘટાડો આવ્યો છે. 


જો ચૂંટણી યોજાઇ તો બ્રિટિશ ભારતીય મતદારોનો મહત્વપૂર્ણ રોલ
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે તેમાં કહેવામાં આવ્યું છે કે જો કાલે વચગાળાની ચૂંટણી યોજાઇ છે તો બ્રિટિશ ભારતીય મતદારો મહત્વપૂર્ણ સાબિત થઇ શકે છે. રિપોર્ટમાં આગળ કહેવામાં આવ્યું છે કે ગત દાયકામાં જ્યાં લેબર પાર્ટીએ જનાધાર ગુમાવ્યો છે તો બીજી તરફ કંજરવેટિવને સતત તેનો લાભ મળ્યો નથી. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે મોટાભાગે મુસ્લિમ અને સિખ મતદારો અને મોટી સંખ્યામાં એવા છે જે કોઇ ધર્મ વિશેષ સાથે સંબદ્ધ નથી તે વચગાળાની ચૂંટણીની સ્થિતિમાં લેબર પાર્ટીને સમર્થન આપશે. જોકે મોટાભાગના ઇસાઇ અને હિંદુઓ એ કંજરવેટિવ પાર્ટીના પ્રતિ સમર્થન વ્યક્ત કર્યું છે. 

Team India નો આ સૌથી 'SEXY' ક્રિકેટર જે અનેકવાર સચિન-ગાંગુલી પર ભારે પડ્યો


કેટલા ટકા બ્રિટિશ ભારતીયોની પસંદ છે બોરિસ જોનસન?
ફક્ત 37 ટકા બ્રિટિશ ભારતીયોને પ્રધાનમંત્રી તરીકે બોરિસ જોનસનના પ્રદર્શનને પસંદ કરવામાં આવ્યા. કાલ્પનિક સામાન્ય ચૂંટણીની સ્થિતિમાં લેબર પાર્ટીના નેતા કેર સ્ટારમર પ્રધાનમંત્રી પદના સૌથી લોકપ્રિય ઉમેદવારના રૂપમાં સામે આવ્યા છે. રિપોર્ટ અનુસાર જોકે ભારતીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પ્રવાસી ભારતીયો પાસેથી સીમિત સમર્થન પ્રાપ્ત છે, પરંતુ કંજરવેટિવ પાર્ટીના સમર્થક અને હિંદુ તેમના કામના પ્રદર્શનને લઇને સૌથી વધુ ઉત્સાહિત છે. 


રિપોર્ટના લેખકોમાં કૈરોલિન ડકવર્થ (કાર્નેગી એંડોમેંટ ફોર ઇન્ટરનેશનલ પીસ) દેવેશ કપૂર (જોન હોપકિન્સ યૂનિવર્સિટી સ્કૂલ ઓફ એડવાંસ્ડ ઇન્ટરનેશનલ સ્ટડીઝ) અને મિલન વૈષ્ણવ (કાર્નેગી એંડોમેન્ટ ફોર ઇન્ટરનેશનલ પીસ) છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube