IND vs PAK Match in Asia Cup: એશિયા કપમાં ટીમ ઈન્ડિયા વિરુદ્ધ જે કારમી હાર મળી છે તેનાથી પાકિસ્તાનના રાજકારણમાં પણ જાણે રાજકીય ભૂકંપ આવી ગયો છે. અહીંના નેતાઓએ નિવેદનબાજી શરૂ કરી દીધી છે. પૂર્વ મંત્રી ફવાદ ચૌધરીએ હાલની પાકિસ્તાનની સરકારને જ અપશુકનિયાળ ગણાવી દીધી છે. વાત જાણે એમ છે કે પાકિસ્તાન ક્રિકેટ ટીમે એશિયા કપમાં પોતાની પહેલી મેચ ભારતીય ટીમ વિરુદ્ધ રવિવારે રમી. આ મેચમાં પાકિસ્તાની ટીમ 5 વિકેટે હારી ગઈ. જેને લઈને ટીમની ખુબ ટીકા થઈ રહી છે. 


પાકિસ્તાનના પૂર્વ મંત્રીનું નિવેદન
પાકિસ્તાનના પૂર્વ મંત્રી ફવાદ ચૌધરીએ કહ્યું કે તેમાં પાકિસ્તાની ક્રિકેટ ટીમની કોઈ ભૂલ  જ નથી. આ હાર માટે પાકિસ્તાનની સરકાર જવાબદાર છે. તે અપશુકનિયાળ છે. આ જ કારણે પાકિસ્તાન ટીમે હાર ઝેલવી પડી. ફવાદે ટ્વીટ કરીને આ વાત કરી. પીટીઆઈ નેતાએ પોસ્ટમાં ઉર્દૂમાં લખ્યું છે કે 'આ ટીમની ભૂલ નથી, ઈમ્પોર્ટેડ હુકુમત જ મનહૂસ છે' ફવાદે ટ્વીટમાં હેશટેગ સાથે #indiavspakistan પણ લખ્યું. અત્રે જણાવવાનું કે આ અગાઉ ઈમરાન ખાનની સરકારમાં ફવાદ ચૌધરી સૂચના અને પ્રસારણ મંત્રી હતા. હાલ શહબાઝ શરીફ પાકિસ્તાનના પ્રધાનમંત્રી છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube