Baba Vanga Prediction On Putin: રશિયા આજે ઔપચારિક રીતે યુક્રેનના ચાર વિસ્તારો પર કબજો જમાવી લેશે. અહીં જનમત સંગ્રહ થઈ ચૂક્યો છે. પશ્ચિમી દેશોનું માનવું છે કે યુક્રેનના આ ચાર વિસ્તારો પર કબજો કર્યા બાદ પણ રશિયા અટકશે નહીં અને તે કઈંક મોટું કરી શકે છે. આવામાં અમેરિકા સહિત પશ્ચિમ દેશ અને રશિયા આમને સામને થઈ શકે છે. હવે ત્રીજા વિશ્વ યુદ્ધની પણ આશંકા વ્યક્ત કરાઈ રહી છે. અત્રે જણાવવાનું કે બલ્ગેરિયાના બાબા વેંગાએ પણ ત્રીજા વિશ્વ યુદ્ધ, વ્લાદિમિર પુતિન અને રશિયા અંગે કેટલીક ભવિષ્યવાણીઓ કરી હતી, જે ચર્ચાનો વિષય બની છે. છેલ્લા લગભગ 7 મહિનાથી રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલુ છે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિન અનેકવાર પરમાણુ બોમ્બ હુમલાની ધમકી પણ આપી ચૂક્યા છે. આ કારણે સમગ્ર દુનયિામાં ખભભળાટ મચેલો છે. ત્રીજા વિશ્વ યુદ્ધ અંગે પોતાના મૃત્યુ પહેલા બાબા વેંગાએ શું ભવિષ્યવાણી કરી હતી તે ખાસ જાણો....


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બાબા વેંગાની ત્રીજા વિશ્વયુદ્ધ પર ભવિષ્યવાણી
બાબા વેંગાએ ત્રીજા વિશ્વ યુદ્ધ વિશે પણ ભવિષ્યવાણી કરી હતી જે મુજબ રશિયા દુનિયાની એકમાત્ર મહાસત્તા હશે. ત્રીજા વિશ્વયુદ્ધમાં પરમાણુ હથિયારોનો ઉપયોગ થશે. અત્રે જણાવવાનું કે રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે પુતિન અનેકવાર પરમાણુ હથિયારોના ઉપયોગની ધમકી આપી ચૂક્યા છે. 


પુતિન અંગે બાબા વેંગાની ભવિષ્યવાણી
બાબા વેંગાની ભવિષ્યવાણી મુજબ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિન દુનિયાના સૌથી શક્તિશાળી નેતા બનશે. આ ઉપરાંત દુનિયા પર રશિયાનું રાજ થશે. બાબા વેંગાએ પોતાની ભવિષ્યવાણીમાં કહ્યું હતું કે બધા બરફની જેમ પીગળી જશે. માત્ર એક ચીજ અછૂતી રહેશે અને તે હશે 'વ્લાદિમિરનું ગૌરવ' તે 'રશિયાનું ગૌરવ' છે. બાબા વેંગાની ભવિષ્યવાણી મુજબ રશિયાને કોઈ રોકી શકશે નહીં. બધુ રસ્તામાંથી હટી જશે અને રશિયાને કોઈ જ રોકી શકશે નહીં. રશિયા ‘Lord of the World’ બની જશે. 


બાબા વેંગાએ 12 વર્ષની ઉંમરે ગુમાવી હતી આંખો
અત્રે જણાવવાનું કે બાબા વેંગાએ એક મહિલા હતા અને તેમનો જન્મ સન 1911માં બલ્ગેરિયામાં થયો હતો. બાબા વેંગા જોઈ શકતા નહતા. એક દુર્ઘટનામાં 12 વર્ષની ઉંમરે તેમણે પોતાની બંને આંખો ગુમાવી હતી. એવું કહેવાય છે કે બાબા વેંગા પોતાની આંખોથી જોઈ શકતા નહતા પરંતુ તેમની પાસે ભવિષ્ય જોવા માટે સ્પેશિયલ પાવર હતો. 


ભારતમાં 2022માં આવશે ભૂખમરો- બાબા વેંગા
બલ્ગેરિયાના મહિલા ફકીર બાબા વેંગાની ભવિષ્યવાણીઓ હંમેશા ચર્ચામાં રહે છે અને તેમણે માત્ર પોતાના દેશ માટે જ નહીં પરંતુ ભારત સહિત સમગ્ર દુનિયા માટે ભવિષ્યવાણીઓ કરી હતી. ભારતને લઈને બાબા વેંગાની એક ભવિષ્ણવાણીએ લોકોની ચિંતા વધારી છે. જેમાં તેમણે કહ્યું હતું કે વર્ષ 2022માં ભારતમાં દુષ્કાળ જેવી સ્થિતિ પેદા થઈ શકે છે. અત્રે જણાવવાનું કે બાબા વેંગાએ વર્ષ 2022 માટે અનેક ભવિષ્યવાણીઓ કરી હતી જેમાંથી 2 સાચી પડી છે. 


ધ સનના રિપોર્ટ મુજબ બાબા વેંગાએ ભારતને લઈને ડરામણી ભવિષ્યવાણી કરી હતી. જણાવ્યું હતું કે વર્ષ 2022માં દુનિયાભરમાં તાપમાનમાં ઘટાડો થશે જેનાથી તીડનો પ્રકોપ વધી જશે. તીડના ઝૂંડ ભારત પર હુમલો કરશે જેનાથી પાકનું ખુબ નુકસાન થશે અને દેશમાં દુષ્કાળની સ્થિતિ પેદા થશે. ભારતમાં ભીષણ ભૂખમરાની સ્થિતિ પેદા થઈ શકે છે. અત્રે જણાવવાનું કે વર્ષ 2020માં રાજસ્થાન, ગુજરાત, મધ્ય પ્રદેશમાં તીડના ટોળા ત્રાટક્યા હતા અને પાક નાશ કર્યો હતો. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube