ચક્રવાત બિપરજોય ગુરુવારે પાકિસ્તાનના કાંઠા વિસ્તારોમાં દસ્તક આપે તે પહેલા દેશના દક્ષિણ સિંધ પ્રાંતમાં 82,000થી વધુ લોકોને તેમના ઘરેથી સુરક્ષિત સ્થળો પર ખસેડાયા. ચક્રવાતના પ્રભાથી અનેક શહેરોમાં ભારે વરસાદ અને પૂરની સંભાવના છે અને તેને પહોંચી વળવાની તૈયારી થઈ રહી છે. બિપરજોયનો અર્થ બાંગ્લા ભાષામાં આફત થાય છે. 


જળવાયું પરિવર્તન અને પર્યાવરણ સમન્વય મંત્રી શેરી રહેમાને કહ્યું હતું કે ચક્રવાત બિપરજોયની ગતિ ઓછી થઈ ગઈ છે અને તે રાત પહેલા ટકરાશે નહીં. મંત્રીએ ઈસ્લામાબાદમાં પત્રકાર સંમેલનમાં કહ્યું કે પહેલા અનુમાન હતું કે વાવાઝોડું સવારે 11 વાગે ટકરાશે પરંતુ હવે તેની ગતિ ઘટીને 6-7 કિમી થઈ ગઈ છે. તેના ટકરાવવાના સમયમાં પણ વાર થઈ છ ેઅને હવે તે રાત બાદ ટકરાય તેવી શક્યતા છે. 


Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube