લંડન: બ્રિટીશ પ્રધાનમંત્રી બોરિસ જ્હોનસનને શનિવારે એન્ટી કોવિડ -19 ઓક્સફોર્ડ એસ્ટ્રાઝેનેકાની રસી આપવામાં આવશે. જો કે, ઘણા યુરોપિયન દેશોએ લોહીના ગંઠાઇ જવાની સંભાવનાને કારણે આ રસીના ડોઝ આપવાનું બંધ કરી દીધું હતું, પરંતુ હવે ફરીથી આ રસી આપવામાં આવી રહી છે. યુરોપિયન અને બ્રિટીશ ડ્રગ નિયંત્રક સંસ્થાઓ અનુસાર, તેઓએ બધા ઉપલબ્ધ ડેટાનું સંપૂર્ણ વૈજ્ઞાનિક વિશ્લેષણ કર્યું છે અને નિષ્કર્ષ પર આવ્યા છે કે એસ્ટ્રાઝેનેકા રસી લેવાથી લોહી ગંઠાઈ જવાના પુરાવા મળતા નથી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ રસી ઓક્સફોર્ડ યુનિવર્સિટી દ્વારા વિકસાવવામાં આવી હતી અને તેનું નિર્માણ એસ્ટ્રાઝેનેકા અને સીરમ ઇન્સ્ટીટ્યૂટ ઓફ ઇન્ડિયા કરવામાં આવ્યું છે. બ્રિટનના એમએચઆરએ સલાહ આપી છે કે, આ રસી લીધા પછી સતત ચાર દિવસ સુધી માથાનો દુખાવો ધરાવતા લોકોએ તબીબી સલાહ લેવી જોઈએ. બ્રિટિશ પ્રધાનમંત્રી બોરિસ જ્હોનસન પણ રસી અંગે પ્રવર્તતી શંકા દૂર કરવા માગે છે.


આ પણ વાંચો:- પોર્નમાં ડૂબ્યો હતો 17 વર્ષનો કિશોર, સેક્સ એક્ટ કરતા સમયે ગુમાવ્યો પોતાનો જીવ


તેમણે કહ્યું, 'અમે હંમેશાં કહ્યું છે કે આ સ્તર અને ગતિના રસીકરણ અભિયાન દરમિયાન પુરવઠામાં અછત આવવું યોગ્ય છે અને તે સત્ય છે કે ટૂંકા ગાળામાં આપણને રસીનો ઓછો ડોઝ મળી રહ્યો છે. આ સીરમ ઇન્સ્ટીટ્યૂટ ઓફ ઇન્ડિયા દ્વારા સપ્લાય કરવામાં વિલંબને કારણે છે. તે આટલી મોટી માત્રામાં રસી પેદા કરી એક મોટું કામ કરી રહ્યું છે. વિલંબનું કારણ એ પણ છે કે યુકેમાં અમારી પાસે જે કન્સાઈનમેન્ટ છે તેની ફરી તપાસ કરવાની છે. તેથી અમારી પાસે માર્ચની તુલનામાં એપ્રિલમાં ઓછી માત્રામાં રસી ઉપલબ્ધ થશે. પરંતુ આ ફેબ્રુઆરીમાં ઉપલબ્ધ જથ્થા કરતાં પણ વધુ છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube