ઓટાવાઃ ભારત અને કેનેડા વચ્ચે રાજદ્વારી તણાવ હવે ઓછા થવા લાગ્યો છે. કેનેડાના પ્રધાનમંત્રી જસ્ટિન ટ્રૂડોએ રવિવારે નવરાત્રિના તહેવાર પર હિન્દુ સમુદાયને શુભેચ્છા આપી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નોંધનીય છે કે કેનેડાના પ્રધાનમંત્રીએ ખાલિસ્તાન સમર્થક આતંકી હરદીપ સિંહ નિજ્જરની હત્યા પાછળ ભારતીય એજન્ટોનો હાથ હોવાનો દાવો કર્યો હતો. પરંતુ ભારતે આ આરોપોને નકારતા રાજનીતિથી પ્રેરિત ગણાવ્યા હતા. તો જસ્ટિન ટ્રૂડોએ પોતાનું વલણ પર ઢીલા પડતા ભારતની સાથે ગાઢ સંબંધ સ્થાપિત કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. 


શું બોલ્યા ટ્રૂડો?
જસ્ટિન ટ્રૂડોએ પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક પોસ્ટ શેર કરતા કહ્યું- નવરાત્રિની શુભકામનાઓ. હું હિન્દુ સમુદાય અને આ તહેવાર ઉજવતા બધા લોકોને હાર્દિક શુભેચ્છા આપુ છું.


Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube