Seven minute Cancer treatment jab: કેન્સર રોગ દર વર્ષે તેનો વ્યાપ વધી રહ્યો છે. જો કે, જો યોગ્ય સમયે શોધી કાઢવામાં આવે, તો તેને હરાવી શકાય છે. કેન્સરની સારવારના પડકારો અને દર્દીઓની તકલીફને દૂર કરવા માટે બ્રિટિશ વૈજ્ઞાનિકોએ એક એવી રસી તૈયાર કરી છે જેનાથી માત્ર સાત મિનિટમાં રોગ મટાડવાનો દાવો કરવામાં આવ્યો છે. મેડિકલ સાયન્સની પ્રગતિના આ યુગમાં કંઈ પણ શક્ય છે. બ્રિટિશ વૈજ્ઞાનિકો દ્વારા જે ઈન્જેક્શન વિકસિત કરવામાં આવ્યું છે તે કેન્સરની સારવાર માટે લાગતા સમયને નોંધપાત્ર રીતે ઘટાડશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

LIC Policy: શું તમારા પૈસા LIC પાસે પડેલા છે? આ રીતે તમે પળવારમાં ઉપાડી લો
UK Visa: શું એ સાચું છે કે જો ખાતામાં 10 લાખ રૂપિયા હોય તો જ વ્યક્તિ લંડન જઈ શકે?


દર્દીઓની સાથે ડોક્ટરોને પણ મળશે રાહત
'રોયટર્સ'માં છપાયેલા અહેવાલ મુજબ, આ કેન્સરની રસી બનાવનારી ટીમે સરકાર પાસેથી મંજૂરી માંગી છે. તેમનું કહેવું છે કે આ મંજુરીથી તેઓ તેમના દર્દીઓને અનુકૂળ અને ઝડપી સંભાળ પૂરી પાડવા માટે જ નહીં, પરંતુ ડોકટરોને એક દિવસમાં પહેલા કરતાં વધુ દર્દીઓની સારવાર કરવા સક્ષમ બનાવશે.


Bank Holidays: September માં 16 દિવસ બંધ રહેશે બેંકો, પતાવી દેજો જરૂર કામ
સરકારી કર્મચારીઓ માટે નવા નિયમ લાગૂ, Income Tax ના ફેરફારથી વધી ટેકહોમ સેલરી


રસીનું નામ અને કામ પણ જાણો
એટલે કે, બ્રિટનનો આરોગ્ય વિભાગ દુનિયાની પ્રથમ આવી સર્વિસ આપવા જઇ રહ્યો છે, જે દેશના સેંકડો કેન્સરના દર્દીઓને આ 'ચમત્કારિક' ઈન્જેક્શન દ્વારા જલદીથી સાજા કરશે અને તેમની સારવાર માટે લાગતો સમય પણ ત્રણ ચર્તંથાશ સુધી ઘટાડશે. મેડિસિન એન્ડ હેલ્થકેર પ્રોડક્ટ્સ રેગ્યુલેટરી એજન્સી (MHRA) તરફથી મંજૂરી મળ્યા પછી, આરોગ્ય વિભાગે જણાવ્યું હતું કે અત્યાર સુધી ઇમ્યુનોથેરાપીથી સારવાર લેતા સેંકડો દર્દીઓને હવે એટેઝોલિઝુમાબના ઇન્જેક્શન આપવામાં આવશે, જે વધુ સારા પરિણામો આપશે.


વૈજ્ઞાનિકોને મળી મોટી સફળતા, હવે ખેડૂતો જમીનમાં નહી હવામાં કરશે બટાકાની ખેતી
Maa Laxmi ke Upay: ધરને ધન-સંપત્તિથી ભરે દે છે શુક્રવારના આ 5 અચૂક ઉપાય, માં લક્ષ્મીની કૃપાથી મળે છે ખ્યાતિ


એટેઝોલિઝુમાબ, જેને ટેસેન્ટ્રિક તરીકે પણ ઓળખવામાં આવે છે, તેને ડાયરેક્ટ ઇન્ટ્રાવેનસ ઇન્જેક્શન તરીકે અથવા નસમાં ટીપાં દ્વારા આપવામાં આવશે. આ પ્રક્રિયામાં લગભગ 7 મિનિટનો સમય લાગશે અને દર્દીને શક્ય તેટલી વહેલી તકે રાહત મળશે.


ઇમ્યુનોથેરાપી સારવાર
એટેઝોલિઝુમાબ એ ઇમ્યુનોથેરાપી સારવાર છે. તે શરીરમાં કેન્સરના કોષોને શોધીને તેનો નાશ કરશે. હાલમાં, ફેફસાં, સ્તન અને લીવરના કેન્સરના દર્દીઓને આ સારવાર આપવામાં આવશે. અત્યાર સુધી આ કેન્સરની સારવારને સરળ બનાવવામાં ઘણી મદદ મળશે. એટલે કે દવા થોડા જ સમયમાં શરીરમાં જશે અને કેન્સરના કોષોને ખતમ કરવાનું કામ કરશે.


Part Time Jobs : આ 10 પાર્ટ ટાઈમ જોબ્સ છે સૌથી ઉત્તમ! કમાણીનું પણ નહીં રહે ટેન્શન
Lizards: ગરોળી ભગાડવાના 6 રામબાણ ઉપાય, ટ્રાય કર્યા બાદ પાડોશીને પણ આપશો ટિપ્સ
Chanakya Niti:આફતને અવસર બદલવા આ 3 લોકોનો સપોર્ટ જરૂરી, કોઇ વાળ પણ વાંકો નહી કરી શકે


ઇમ્યુનોથેરાપી સારવાર શું છે?
નિષ્ણાતોના મતે ઇમ્યુનોથેરાપી સારવારમાં શરીરની રોગપ્રતિકારક શક્તિ સક્રિય થાય છે. આ સાથે તે કેન્સરના કોષોને ઓળખે છે અને તેનો નાશ કરે છે. આ ઈન્જેક્શન દ્વારા કેન્સરના દર્દીઓના શરીરમાં ઈમ્યુનોથેરાપી દવાઓ પહોંચાડવામાં આવશે. જેના કારણે તે કેન્સરના કોષોને ખતમ કરશે. ઇમ્યુનોથેરાપી એ કેન્સરની સારવારનો એક ભાગ છે, જો કે હાલમાં તે માત્ર થોડા જ દેશોમાં પ્રેક્ટિસ કરવામાં આવે છે.


Aloo Bhujia: શું તમે પણ તબિયતથી ઝાપટો છો 'આલૂ ભુજિયા', જાણી લો ફાયદા અને નુકસાન
શું ઓશિકું ઉંચુ લગાવીને ઉંઘો છો, તો આજે જ છોડી આ આદત...નહીંતર પસ્તાશો

Nimbu Paani: દિવસની શરૂઆતમાં કેમ પીવું જોઇએ લીંબુ પાણી? જાણી લો આ 5 કારણો


કેમ ચમત્કાર ગણવામાં આવી રહી છે આ શોધ?
સમગ્ર વિશ્વમાં કેન્સર એક ગંભીર રોગ બની ગયો છે. દર વર્ષે લાખો લોકો આ રોગથી મૃત્યુ પામે છે. સ્ત્રીઓમાં સ્તન અને અંડાશયનું કેન્સર અને પુરુષોમાં પ્રોસ્ટેટ કેન્સર ઝડપથી વધ્યું છે. કેન્સર પીડિતોનું કહેવું છે કે કીમોથેરાપી એ પીડાદાયક સારવાર છે. આવા જ એક સવાલના જવાબમાં ઈંગ્લેન્ડની કેન્સર ઈન્સ્ટિટ્યૂટના નેશનલ ડાયરેક્ટર પ્રોફેસર પીટર જોન્સને કહ્યું, 'વિશ્વમાં આ પ્રકારની પ્રથમ સારવારથી દર્દીઓને હોસ્પિટલમાં ઓછું રહેવું પડશે. આ સાથે જ ડોક્ટરો કીમોથેરાપી જેવી જટિલ સારવારમાં કિંમતી સમય બચાવી શકશે. કેન્સરના દર્દીઓની સારવાર દરમિયાન તેમના માટે જીવનની શ્રેષ્ઠ ગુણવત્તા જાળવવી અમારા માટે અત્યંત મહત્વપૂર્ણ છે, તેથી ત્વચામાં ઇન્જેક્શન આપવાથી કેન્સરની સારવારમાં ક્રાંતિ આવશે.'


પોષક તત્વોથી ભરપૂર હોય છે આ ફળોની છાલ, ઉતારીને ખાશો તો નહી થાય કોઇ ફાયદો
Asia Cup 2023: પાકિસ્તાન સામેની મેચમાં થશે મોટા ફેરફાર, આ નવા નંબર પર બેટીંગ કરી શકે છે વિરાટ કોહલી


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube