ન્યૂયોર્કઃ વેનેઝુએલાની આર્થિક સ્થિતિ અત્યારે અત્યંત નાજૂક બનેલી છે. અમેરિકા નિકોલસ માદુરો સરકારને સત્તામાંથી દૂર કરવા માટેના પ્રયાસો કરી રહ્યું છે. આથી અમેરિકા સંપૂર્ણપણે આર્થિક અને કુટનૈતિક અભિયન ચલાવી રહ્યું છે. આ સંદર્ભમાં જ યુએસના વિદેશ મંત્રી માઈક પોમ્પિયોએ ભારતીય વિદેશ સચિવ વિજય ગોખલે સાથેની મુલાકાતમાં આ મુદ્દે ચર્ચા કરી હતી. તેમણે ભારતને અપીલ કરી કે તે વેનેઝુએલા પાસેથી ખનીજ તેલ ન ખરીદે. ઉલ્લેખનીય છે કે, વેનેઝુએલા ભારતને ખનિજ તેલની નિકાસ કરનારો ત્રીજો સૌથી મોટો દેશ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બંને દેશના વિદેશ સચિવોની મુલાકાત બાદ પોમ્પિયોએ સોમવારે એક પત્રકાર પરિષદમાં જણાવ્યું કે, "મને વિશ્વાસ છે કે, તેઓ પણ વેનેઝુએલાના લોકોના વાસ્તવિક જોખમ વિશે જાણે છે. અમે ભારતને પણ કહ્યું છે કે, તે માદુરો શાસનની આર્થિક જીવનરેખા ન બને."


રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની સરકાર અને તેના સહયોગીઓએ વેનેઝુએલાના વિરોધ પક્ષના નેતા અને નેશનલ એસેમ્બલીના અધ્યક્ષ ગુઆઈદોને દેશના રાષ્ટ્રપતિ તરીકે માન્યતા આપી દીધી છે અને માદુરોને પદ છોડવા કહ્યું છે. 


યૂનિસેફની અપીલ, ISના 'ખિલાફત' માં ઉછેરવામાં આવેલા બાળકોને આતંકવાદી ના સમજો


ભારત વેનેઝુએલા પાસેથી ખનિજ તેલ ખરીદનારો પ્રમુખ આયાતકાર દેશ છે અને તેના માટે તે રોકડામાં ચૂકવણી કરે છે. 2017-18માં ભારતે વેનેઝુએલા પાસેથી 1.15 કરોડ ટન ખનિજ તેલની આયાત કરી હતી. 


વિશ્વના વધુ સમાચાર જાણવા અહીં કરો ક્લિક...