એમ્સટર્ડમઃ પયગંબર મોહમ્મદના અપમાનનેલઈને શુક્રવારે દેશમાં ઘણી જગ્યાએ જુમાની નમાઝ બાદ વિરોધ પ્રદર્શન જોવા મળ્યું છે. ઉત્તરપ્રદેશના પ્રયાગરાજમાં પણ બબાલ જોવા મળી હતી. ટોળાએ અધિકારીઓ પર પથ્થરમારો કર્યો, જેમાં ડીએમ સહિત ઘણા અધિકારીઓને ઈજા થઈ હતી. હવે આ પથ્થરમારાને લઈને ડચ સાંસદ ગિર્ટ વિલ્ડર્સે ફરી ભાજપના પૂર્વ પ્રવક્તા નૂપુર શર્માનું સમર્થન કર્યું છે અને પથ્થરમારો કરનારને આતંકવાદી ગણાવ્યાં છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ડચ સાંસદે ટ્વીટ કર્યું, 'માત્ર ગુનેગાર અને આતંકવાદી પોતાની ધાર્મિક અસહિષ્ણુતા અને રોષ વ્યક્ત કરવા માટે રસ્તા પર હિંસા કરે છે. અસહિષ્ણુતા પ્રત્યે સહિષ્ણુ થવાનું બંધ કરો. આપણે જીવનને વહાલ કરીએ છીએ, તેઓ મૃત્યુને ચાહે છે. આપણે આઝાદીનું સમર્થન કરીએ છીએ. વીર નૂપુર શર્મા અમારૂ પ્રતીક છે. તેનું સમર્થન કરો. ગિર્ટ બિલ્ડર્સ આ વિવાદમાં શરૂઆતથી નૂપુર શર્માનું સમર્થન કરી રહ્યાં છે. 


Video : સમુદ્રમાંથી મળ્યું ''$17 બિલિયનનું સોનું''...જહાજોના કાટમાળમાં 200 વર્ષથી છુપાયેલું હતું: રિપોર્ટ


તેમણે કહ્યું કે આ દેશોમાં જો તમે હિન્દુ, હૂદી કે ઈસાઈ છો કે પછી પોતાના ઇસ્લામ છોડવાનો પ્રયાસ કર્યો તો તમારે જેલમાં પણ જવું પડી શકે છે અને હત્યા પણ થઈ શકે છે. તેમણે ભાજપની પૂર્વ પ્રવક્તાનું સમર્થન કરતા કહ્યું કે મેં ટીવી ક્લિપ જોઈ છે. ડિબેટ દરમિયાન એક વ્યક્તિ હિન્દુ દેવી દેવતાઓની મજાક ઉડાવી રહ્યો હતો, જેના પર તેણે ગુસ્સામાં જવાબ આપ્યો છે. તેણે જે કહ્યું તે સત્ય છે. સત્યથી કોઈની ધાર્મિક ભાવનાને કેમ ઠેંસ પહોંચી શકે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube