જન્મ અને મૃત્યુ પર કોઈનો કંટ્રોલ છે ખરો? છતાં દુનિયામાં એક એવી જગ્યા છે જ્યાં લોકોના મરવા પર પ્રતિબંધ છે. સાંભળીને નવાઈ લાગે ને... પણ આ વાત સાચી છે. લગભગ 2000 લોકોની વસ્તીવાળા આ શહેરમાં 70 કરતા વધુ વર્ષથી કોઈ પણ લાશને દફનાવવામાં કે બાળવામાં આવી નથી. હવે સવાલ એ ઉઠે છે કે આ તે કેવું શહેર છે કે જ્યાં લોકો મરતા નથી. તો તમને જણાવીએ કે આની પાછળ એક રસપ્રદ કારણ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નોર્વે દેશનું લોંગયેરબ્યેન શહેર ઉત્તર ધ્રુવમાં વસેલુ છે. આ શહેર બાદ ઉત્તર દિશામાં કોઈ અન્ય રહેણાંક વિસ્તાર નથી. એટલે કે કોઈ રહેતું હોય તેવો વિસ્તાર નથી. આ શહેરમાં ખ્રિસ્તિ ધર્મમાં માનતા લોકો રહે છે. શહેર મોટાભાગે બરફની ચાદરથી ઢંકાયેલું રહે છે. અહીં વર્ષના 4 મહિના તો સૂર્યદેવના દર્શન પણ થતા નથી. એટલે કે 4 મહિના તો અંધારા જેવું જ રહે છે. જ્યારે સૂર્ય નીકળે ત્યારે અહીંના લોકો તે સમયે તહેવાર જેવી ઉજવણી કરે છે. આવામાં સમગ્ર વર્ષ અહીં બરફ જ જોવા મળે છે. 


કેમ છે મરવા પર પ્રતિબંધ?
અહીં બરફમાં દફનાવવામાં આવેલી લાશો ગળતી નથી, ખરાબ થતી નથી કે સડતી નથી. ઉલ્ટું તે જામી જાય છે અને વર્ષો સુધી એમની એમ  રહે છે. આવામાં મૃત શરીરના વાયરસ લોકોમાં બીમારી ફેલાવી શકે છે. જેનાથી લોકોના જીવને જોખમ રહી શકે છે. આ જ કારણ છે કે અહીં મૃત્યુ નજીક હોય તેવી સ્થિતિમાં વ્યક્તિને અન્ય જગ્યાએ મોકલી દેવાય છે. 


આ વીડિયો પણ ખાસ જુઓ...


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube