નૈરોબી: ઈથોપિયન એરલાઈન્સનું એક વિમાન ઉડાણ ભર્યાના થોડા સમય બાદ ગૂમ થઈ ગયું અને હવે ક્રેશ થયું હોવાના અહેવાલો આવી રહ્યાં છે. આ ફ્લાઈટમાં 149 મુસાફરો અને સાથે 8 ક્રુ મેમ્બર્સ હતાં ન્યૂઝ એજન્સી એએફપીનું કહેવું છે કે આ દુર્ઘટનામાં અનેક મુસાફરો માર્યા ગયા હોવાની આશંકા છે. આ ફ્લાઈટ અદિસથી નૈરોબી જવા માટે રવાના થઈ હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઈથોપિયાના વડાપ્રધાને આ અકસ્માતની પુષ્ટિ કરી છે. ઈથોપિયન એરલાઈન્સના આ વિમાને સ્થાનિક સમય મુજબ સવારે 8.38 કલાકે અદિસ અબાબાથી ઉડાણ ભરી હતી અને સવારે લગભગ 8.44 કલાકે તેનો સંપર્ક ખોરવાઈ ગયો હતો. રાહત અને બચાવ અભિયાન હાલ ચાલુ છે. 


વિદેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...