લંડનઃ મહારાણી એલિઝાબેથ દ્વિતીયના મોત વિશે ટ્વીટ કરીને કરવામાં આવેલી ભવિષ્યવાણી સાચી સાબિત થઈ છે. જુલાઈમાં એક ટ્વિટર યૂઝર Logan Smith એ પોતાના ટ્વિટર એકાઉન્ટ પરથી ટ્વીટ કરીને જાણકારી આપી હતી કે મહારાણી એલિઝાબેથનું મૃત્યુ 8 સપ્ટેમ્બર 2022ના થશે. મહારાણી એલિઝાબેથનું Balmoral માં ગુરૂવાર 8 સપ્ટેમ્બરના મૃત્યુ થયા બાદ આ ટ્વીટ ખુબ વાયરલ થઈ રહ્યું છે. લોકો આ ભવિષ્યવાણીને લઈને હેરાન છે કે આખરે કોઈના મોત સાથે જોડાયેલી ભવિષ્યવાણી કઈ રીતે સાચી સાબિત થઈ શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Logan Smith એ આ ટ્વીટમાં વધુ એક દાવો કર્યો છે ત્યારબાદ યુકેના લોકો ખુબ પરેશાન છે. આ ટ્વીટમાં કિંગ ચાર્લ્સ તૃતીયના મૃત્યુની તારીખ પણ જણાવવામાં આવી છે. દાવો કરવામાં આવ્યો કે 28 માર્ચ 2026ના કિંગ ચાર્લ્સનું મૃત્યુ થશે. મહારાણીના મૃત્યુની ભવિષ્યવાણી સાચી સાબિત થયા બાદ લોકો કિંગ ચાર્લ્સના મૃત્યુની ભવિષ્યવાણી વિશે વિચારી પરેશાન છે. ટ્વીટ વાયરલ થયા બાદ Logan Smith એ પોતાના ટ્વિટર એકાઉન્ટને પ્રાઇવેટ કરી લીધુ છે પરંતુ આ ટ્વીટના સ્ક્રીનશોટ ખુબ ઝડપથી વાયરલ થઈ રહ્યાં છે. 


[[{"fid":"402228","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"viraltweet.jpg","field_file_image_title_text[und][0][value]":"viraltweet.jpg"},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"viraltweet.jpg","field_file_image_title_text[und][0][value]":"viraltweet.jpg"}},"link_text":false,"attributes":{"alt":"viraltweet.jpg","title":"viraltweet.jpg","class":"media-element file-default","data-delta":"1"}}]]


મહારાણી એલિઝાબેથના મૃત્યુની ભવિષ્યવાણી સાચી થયા બાદ લોકો અલગ-અલગ રિએક્શન આપી રહ્યાં છે. ઘણા યૂઝર્સ આ જાણીને ચોંકી ગયા છે. એક યૂઝર્સે કહ્યું કે કોઈપણ તે ભવિષ્યવાણી ન કરી શકે કે કિંગ ચાર્લ્સનું મૃત્યુ ક્યારે થશે આ માત્ર ભગવાન જ કરી શકે છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube