બાલીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જી-20 સંમેલન દરમિયાન બાલીમાં ભારતીય મૂળના લોકોને સંબોધિત કર્યા છે. પીએમ મોદીએ કહ્યુ કે જે જગ્યાની સાથે ભારતનો હજારો વર્ષનો સંબંધ રહ્યો છે, જ્યાં અનેક પેઢીઓ પસાર થઈ, પરંતુ જ્યાં લોકોએ પોતાની પરંપરાને જીવંત રાખી ત્યાંના લોકો, તે ધરતી પર આવીને એક અલગ આનંદ મળે છે. પીએમ મોદીએ કહ્યું કે, અનેક પેઢી પસાર થઈ ગઈ પરંતુ તમે ક્યારેય પોતાની પરંપરાને દૂર થવા દીધી નથી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રધાનમંત્રી મોદીએ કહ્યુ કે જ્યારે હું તમને અહીં સંબોધિત કરી રહ્યો છું તો અહીંથી 1500 કિલોમીટર દૂર ભારતના કટકમાં બાલી જાત્રાનો ઉત્સવ ઉજવવામાં આવી રહ્યો છે. જે ભારત અને ઈન્ડોનેશિયાના સંબંધની નિશાની છે. 


પીએમ મોદીએ કહ્યું કે આપણે હંમેશા વાતચીતમાં કહીએ છીએ કે આ નાની દુનિયા છે. ભારત અને ઈન્ડોનેશિયાના સંબંધોને લઈને વાત ફિટ બેસે છે. દરિયાના વિશાળ મોજાઓએ ભારત અને ઈન્ડોનેશિયાના સંબંધોની લહેરોની જેમ ઉમંગથી ભરી અને જીવંત રાખી છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube