દુનિયા (World) માં એવી અનેક જગ્યાઓ છે જે કોઈને કોઈ કારણસર રહસ્યમય બની રહી છે. એવી જ એક જગ્યા તુર્કી (Turkey) ના પ્રાચિન શહેર હેરાપોલીસમાં છે. અહીં એક પ્રાચિન મંદિર છે. આ મંદિર અંગે એવું કહેવાય છે કે અહીં નરકનું દ્વાર (Gate to Hell)  છે. ત્યાં જવાની વાત તો દૂર રહી પરંતુ ત્યાં આજુબાજુ ફટકનારા પણ પાછા ફરતા નથી. એવું કહેવાય છે કે આ મંદિરના સંપર્કમાં આવતા જ માણસથી લઈને પશુ પક્ષી સુદ્ધા મોત પામે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અનેક વર્ષ પહેલા સુધી આ જગ્યા ખુબ રહસ્યમય બની રહી હતી. કારણ કે લોકોનું એવું માનવું હતું કે અહીં આવનારા લોકોની મોત યુનાની દેવતાના ઝેરી શ્વાસના કારણે થાય છે. અહીં સતત થઈ રહેલા મોતના કારણે લોકો પછી તો આ મંદિરને નરકનું દ્વાર કહેવા લાગ્યા હતાં. કહે છે કે ગ્રીક, રોમન કાળમાં પણ લોકો મોતના ડરના કારણે ત્યાં જવાથી ડરતા હતાં. 


જુઓ LIVE TV


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


ભારતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....