કાબુલઃ વિશ્વ જ્યારે કોરોના વાયરસના નિવારણ માટે કામ કરી રહ્યું છે તે સમયે અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં આવેલા એક ગુરૂદ્વારા પર કાયરતાપૂર્ણ હુમલો થયો છે. અરદાસ માટે જમા થયેલા શીખ સમુદાયના લોકો પર આતંકીઓએ અંધાધુંધ ફાયરિંગ શરૂ કરી દીધું હતું. આ હુમલામાં 11 લોકોના મોત થયા છે. હુમલા બાદ અફઘાન સુરક્ષાકર્મી અને વિદેશી સુરક્ષાદળો હરકતમાં આવ્યા હતા. આશરે છ કલાક સુધી ચાલેલી આ અથડામણમાં તમામ 4 આતંકીઓને ઠાર કરવામાં આવ્યા હતા. હુમલાની જવાબદારી ઇસ્લામિક સ્ટેટે લીધી છે. બીજીતરફ તાલિબાને ટ્વીટ કરીને જણાવ્યું કે, હુમલામાં તેનો કોઈ હાથ નથી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

લોકો ચીસો પાડી રહ્યાં હતા, ડરમાં હતા બાળકો
હુમલો સવારે થયો હતો. ગુરૂદ્વારામાં કેટલાક નાના બાળકો પણ હાજર હતા જે હુમલો અને ત્યારબાદ થયેલા એનકાઉન્ટરના સમયે ગુરૂદ્વારામાં ફસાયા હતા. દરેક ચીસો પાડી રહ્યાં હતા. સુરક્ષાદળોએ   જ્યારે તેને બહાર કાઢ્યા, ત્યારે તેના મોઢા પર ડર સ્પષ્ટ રીતે જોવા મળી રહ્યો હતો. બીજીતરફ શીખ સાંસદ નરિંદર સિંહ ખાલસાએ કહ્યું કે, ગુરૂદ્વારાની અંદર રહેલા એક વ્યક્તિએ તેમને ફોન કર્યો અને હુમલા વિશે જણાવ્યું ત્યારબાદ તેઓ મદદ કરવા માટે ત્યાં ગયા હતા. તેમણે કહ્યું કે, હુમલા સમયે ગુરૂદ્વારાની અંદર આશરે 150 લોકો હતા અને હુમલામાં ઓછામાં ઓછા ચાર લોકોના મોત થયા છે. ખાલસાએ કહ્યું કે, પોલીસ હુમલાખારોને ત્યાંથી બહાર કાઢવાનો પ્રયાસ કરી રહી છે. 


ભારતે કરી હુમલાની નિંદા
ભારતે આ કાયરતાપૂર્ણ હુમલાની ટીકા કરી છે. વિદેશ મંત્રાલયે નિવેદન જારી કરી કહ્યું, 'અમે કાબુલમાં એક ગુરૂદ્વારા પર થયેલા આતંકી હુમલાની ટીકા કરીએ છીએ. અલ્પસંખ્યકોના ધાર્મિક સ્થળો પર આવા સમયમાં કાયરતાપૂર્ણ હુમલો, હુમલાખોરો અને તેનો સાથ આપી રહેલા લોકોની ક્રૂરતાપૂર્ણ માનસિકતાને દર્શાવે છે.' ઉલ્લેખનીય છે કે અફઘાનિસ્તાનમાં બે જ ગુરૂદ્વારા છે. એક જલાલાબાદમાં અને એક કાબુલમાં. અફઘાનિસ્તાનમાં 300થી વધુ શીખ પરિવાર રહે છે. 


જુઓ LIVE TV


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


વાંચો વિશ્વના અન્ય સમાચાર