ઈશનિંદાના નામે અત્યાર સુધીમાં હજારોના જીવ લઈ ચૂકેલા પાકિસ્તાનમાં લઘુમતી સમુદાયના લોકો પર અત્યાચાર અટકવાનું નામ લેતા નથી. ભારતને સલાહ સૂચનો આપનારા પાકિસ્તાનમાં હિન્દુઓ પર અપાર અત્યાચાર થઈ રહ્યા છે. તેઓ સતત ભયના ઓછાયા હેઠળ જીવી રહ્યા છે. તાજો મામલો કરાચીનો છે. જ્યાં હિન્દુ સમુદાયને ડરાવવા ધમકાવવા માટે કટ્ટરપંથીઓએ હિંસાનો સહારો લેતા હિન્દુ મંદિરમાં તોડફોડ કરી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તાજેતરમાં જ નુપુર શર્માના એક નિવેદનને લઈને ભારતને જ્ઞાન આપતા પાકિસ્તાનની પોલ ખુલી ગઈ છે. ત્યાં હિન્દુઓ અને તેમના આરાધ્ય સ્થળોની હાલત કોઈથી છૂપી નથી. ધ એક્સપ્રેસ ટ્રિબ્યુનમાં છપાયેલા એક રિપોર્ટ મુજબ કરાચીના કોરંગી વિસ્તારમાં મરી માતા મંદિરમાં મૂર્તિઓ પર હુમલો થયો. આ મંદિર કોરંગી પોલીસ સ્ટેશનથી થોડે દૂર છે. મંદિર પર હુમલાની જાણ થતા જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી. પોલીસે સમીક્ષા કરીને ઘટનાની તપાસ કરવાનું જણાવ્યું છે. જો કે પોલીસનું પણ આવા કેસોમાં શું વર્તન હોય છે તે કોઈનાથી છૂપું નથી. 


વિશ્વના વધુ સમાચાર વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube