ઇસ્લામાબાદઃ પાકિસ્તાનના પૂર્વ પ્રધાનમંત્રી ઇમરાન ખાનની હત્યાનું ષડયંત્ર રચવાની અફવાઓ સતત સામે આવી રહી છે. ત્યારબાદ ઇસ્લામાબાદ પોલીસે કહ્યું કે શહેરની બની ગાલાની પાસેના વિસ્તારમાં સુરક્ષા એજન્સીઓને હાઈએલર્ટ પર રાખવામાં આવી છે. તો રાજધાનીમાં કલમ 144 લાગૂ કરવામાં આવી છે. શહેરના પોલીસ પ્રવક્તાએ જણાવ્યુ કે ઇસ્લામાબાદમાં લોકોના ભેગા થવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદની પોલીસે ટ્વીટ કરી કહ્યુ કે, પાકિસ્તાનના પૂર્વ પીએમ ઇમરાન ખાનના ઘરના વિસ્તાર બની ગાલામાં તેમના આવવાની જાણકારી પ્રમાણે સુરક્ષા વધારી દેવામાં આવી છે અને હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. પરંતુ ખાનની ટીમની વાપસીને લઈને પોલીસને કોઈ ચોક્કસ જાણકારી મળી નથી. 


અમેરિકાની ધમકીની કિમ પર કોઈ અસર નહીં, ઉત્તર કોરિયાએ 8 બેલિસ્ટિક મિસાઇલ લોન્ચ કરી


તો આ મામલા પર પૂર્વ પીએમ ખાનના ભત્રીજા હસન નિયાઝીએ કહ્યુ કે, ઇમરાન ખાન પર હુમલો થશે તો તે પાકિસ્તાન પર હુમલો માનવામાં આવશે. તેમણે કહ્યું કે જો અમારા નેતાને કંઈ થશે તો તે ભયાનક હશે અને ષડયંત્રકારી અફસોસ કરશે. તો ફવાદ ચૌધીએ કહ્યુ કે, પાકિસ્તાનની સુરક્ષા એજન્સીઓને પહેલા જ ઇમરાનની હત્યાના ષડયંત્રની જાણકારી મળી છે અને તે ઇસ્લામાબાદ રવિવારે આવ્યા છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube