નવી દિલ્હી: આતંકવાદ પર પાકિસ્તાનના વડાપ્રધાને ઈમરાન ખાને સૌથી મોટી કબુલાત કરતા કહ્યું કે 1980માં અફઘાનિસ્તાનમાં રશિયા (તત્કાલિન સોવિયેત સંઘ) વિરુદ્ધ લડવા માટે પાકિસ્તાને જેહાદીઓને તૈયાર કર્યાં. તેમને ટ્રેનિંગ આપી. રશિયાની એક અંગ્રેજી ન્યૂઝ ચેનલ RTને આપેલા ઈન્ટરવ્યુમાં એક બાજુ અમેરિકા પર આરોપ લગાવતા તેમણે કહ્યું કે કોલ્ડ વોર દરમિયાન રશિયા વિરુદ્ધ પાકિસ્તાને અમેરિકાની મદદ કરી. જેહાદીઓને રશિયા વિરુદ્ધ લડવા માટે ટ્રેનિંગ આપી. આમ છતાં હવે અમેરિકા પાકિસ્તાન પર આરોપ લગાવી રહ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

યુરોપિયન થિંક ટેંકે પણ કાશ્મીર અને કલમ 370 મુદ્દે પાકિસ્તાનને મારી જબરદસ્ત લપડાક, જાણો શું કહ્યું?


તેમણે કહ્યું કે 1980ના દાયકામાં પાકિસ્તાન એવા મુજાહિદ્દીન લોકોને તાલીમ આપી રહ્યું હતું જ્યારે સોવિયેત સંઘ, અફઘાનિસ્તાન પર કબ્જો કરે તો તેઓ તેમના વિરુદ્ધ જેહાદનું એલાન કરે. આ લોકોની ટ્રેનિંગ માટે પાકિસ્તાનને અમેરિકાની એજન્સી CIA તરફથી પૈસા આપવામાં આવ્યાં હતાં. પરંતુ એક દાયકા બાદ જ્યારે અમેરિકા, અફઘાનિસ્તાનમાં આવ્યું તો તેણે એ જ સમૂહો કે જે પાકિસ્તાનમાં હતાં, તેમને જેહાદીમાંથી આતંકવાદી જાહેર કરી દીધા.


ઈમરાન ખાને કહ્યું કે આ એક મોટો વિરોધાભાસ હતો. પાકિસ્તાને તટસ્થ હોવું જોઈતું હતું. કારણ કે અમેરિકાનો સાથ આપીને અમે આ સમૂહોને પાકિસ્તાનની વિરુદ્ધ કરી દીધુ..જેમાં અમે 70 હજાર લોકોના જીવ ગુમાવ્યાં છે. પાકિસ્તાનની અર્થવ્યવસ્થાને 100 અબજ ડોલરથી વધુનું નુકસાન થયું છે. 


પાકિસ્તાનના ગૃહ મંત્રીએ જ ઈમરાન ખાનની ફજેતી કરી નાખી, કાશ્મીર મુદ્દે જૂઠ્ઠાણાનો કર્યો પર્દાફાશ


જો કે એ પણ સાચુ છે કે એકબાજુ જ્યાં ઈમરાન ખાન આ સચ્ચાઈને પરોક્ષ રીતે સ્વીકારી રહ્યાં છે કે તેમની ધરતીનો ઉપયોગ આતંકવાદી ગતિવિધિઓ માટે થયો છે, ત્યાં બીજી બાજુ તેઓ કાશ્મીર પર આંતરરાષ્ટ્રીય સમર્થનની આશા રાખી રહ્યાં છે. કદાચ આ જ કારણે તેમના જ ગૃહ મંત્રી એજાઝ અહેમદ શાહે એક ઈન્ટરવ્યુમાં કહી દીધુ કે કાશ્મીર મુદ્દે પાકિસ્તાનની વાતને ગંભીરતાથી લેવાતી નથી અને પાકિસ્તાનને જવાબદાર દેશ ગણાતો નથી. 


જુઓ LIVE TV


ઈમરાન ખાને બુદ્ધિનું દેવાળું ફૂંક્યું, કાશ્મીર મુદ્દે ખોટો દાવો કરીને સોશિયલ મીડિયામાં બન્યાં મજાકને પાત્ર


તેમને જ્યારે પૂછવામાં આવ્યું કે બેનઝીર ભૂટ્ટો, પરવેઝ મુશર્રફ અને અન્ય કયા સત્તાધારી કુલીનતંત્રનો  ભાગ રહ્યાં તો ISIના ચીફ રહી ચૂકેલા એઝાઝ અહેમદ શાહે કહ્યું કે તમામ જવાબદાર છે. પાકિસ્તાને હવે આત્મમંથન કરવાની જરૂર છે. શાહનું નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે જીનેવામાં સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદ(UNHRC)ના 42માં સત્રની બેઠકમાં ભારતની કૂટનીતિ સામે પાકિસ્તાને ફરી એકવાર હારનો સામનો કરવો પડ્યો. 


વિશ્વના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...