નવી દિલ્હી: કાશ્મીરમાંથી કલમ 370 હટાવતા પાકિસ્તાનમાં તો જાણે રાજકીય ભૂકંપ આવી ગયો છે. પાકિસ્તાન ભારતની પોતાની આંતરિક બાબતમાં હસ્તક્ષેપ કરી રહ્યું છે. કલમ 370 હટતા જાણે તેના માથે આફતોનો પહાડ તૂટી પડ્યો હોય તેવું લાગી રહ્યું છે. ભારતે આ કલમ દૂર કરતા હવે જમ્મુ અને કાશ્મીર સંપૂર્ણ પણે ભારત સાથે જોડાઈ ગયું જેનું પાકિસ્તાનને ખુબ દુ:ખ થઈ રહ્યું હોય તેવું જણાઈ આવે છે. પાકિસ્તાને આ મુદ્દે ભારતને અનેક ધમકીઓ પણ આપી છે જેમાંની એક ધમકી ભારતને યુએનમાં લઈ જવાની છે. પરંતુ આ મુદ્દે તો પાકિસ્તાન પોતે જ પોતાની જાળમાં ફસાઈ જવાનું છે. કાશ્મીર મુદ્દે 1948માં સંયુક્ત રાષ્ટ્રે પાકિસ્તાનને જે પગલાં લેવાનું કહ્યું હતું તેનું પાકિસ્તાને આજ સુધી પાલન કર્યું નથી. યુએનના પ્રસ્તાવ સંલગ્ન પોતાની પ્રતિબદ્ધતાઓને પાકિસ્તાને ક્યારેય પૂરી કરી નથી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

1948ના યુએનના પ્રસ્તાવમાં તબક્કાવાર પગલાંઓ વર્ણવાયા હતાં
સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના પ્રસ્તાવ સંખ્યા 47માં કાશ્મીર મુદ્દે સમાધાન માટે સ્પષ્ટપણે તબક્કાવાર જણાવવામાં આવ્યું હતું. આ તમામ પગલાં યુએન કમિશન ફોર ઈન્ડિયા અને પાકિસ્તાન (UNCIP)ના 13 ઓગસ્ટ 1948ના પ્રસ્તાવમાં પણ રજુ કરાયા છે. અત્રે જણાવવાનું કે 20 જાન્યુઆરી 1948ના રોજ UNSCના પ્રસ્તાવ સંખ્યા 39 હેઠળ જ UNCIPનું ગઠન થયું હતું. 


પાકિસ્તાને પોતાના ગેરકાયદે કબ્જાવાળા કાશ્મીરમાંથી સેના હટાવવાની હતી
કાશ્મીર સમસ્યાના સમાધાન માટે સંયુક્ત રાષ્ટ્રે જે પગલાં અંગે જણાવ્યું હતું તે મુજબ પાકિસ્તાને કાશ્મીરમાંથી પોતાના તમામ સૈનિકોને હટાવવાના હતાં. આ ઉપરાંત પાકિસ્તાને 'કબીલાઈઓ' અને સામાન્ય રીતે તે વિસ્તારમાં ન રહેતા પાકિસ્તાની નાગરિકો કે જે યુદ્ધના હેતુથી ત્યાં હાજર હતાં તેમને પણ પાછા બોલાવવાની દરેક શક્ય કોશિશ કરવાની હતી. સંયુક્ત રાષ્ટ્રના જણાવ્યાં મુજબ એકવાર જ્યારે પાકિસ્તાન આ પગલાં ભરી લે તો ત્યારબાદ ભારત પણ કાશ્મીરમાંથી પોતાની સેનાને તબક્કાવાર પાછી બોલાવી લે તેવું હતું. 


જુઓ LIVE TV


વિશ્વના વધુ સમાચાર વાંચવા માટે કરો ક્લિક...