નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મંગળવારે રશિયા-યુક્રેન સંઘર્ષના શાંતિપૂર્ણ સમાધાનની જરૂરીયાત પર ભાર આપ્યો છે. બ્રિક્સ શિખર સંમેલનથી ઇતર કઝાનમાં રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે થયેલી દ્વિપક્ષીય બેઠકમાં પીએમ મોદીએ સ્પષ્ટ કર્યું કે રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલાં સંઘર્ષનો ઉકેલ શાંતિપૂર્ણ રીતે કાઢવો જોઈએ. તેમણે તે પણ કહ્યું કે ભારત શાંતિ અને સ્થિરતાની સ્થાપના કરવાનું સમર્થન કરે છે. વાતચીત દરમિયાન પીએમ મોદીએ કહ્યું- અમારા બધા પ્રયાસ માનવતાને પ્રાથમિકતા આપે છે. ભારત ભવિષ્યમાં દરેક સંભવ સહયોગ માટે તૈયાર છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પીએમ મોદીએ રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરી 
મંગળવારે કઝાનમાં બ્રિક્સ સમિટ દરમિયાન રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથેની તેમની દ્વિપક્ષીય મુલાકાત દરમિયાન મોદીએ કહ્યું, 'રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા સંઘર્ષના વિષય પર હું સતત તમારા સંપર્કમાં છું. મેં અગાઉ કહ્યું છે તેમ અમે માનીએ છીએ કે સમસ્યાઓનો શાંતિપૂર્ણ ઉકેલ લાવવો જોઈએ. અમે શાંતિ અને સ્થિરતાની વહેલી સ્થાપનાને સંપૂર્ણ સમર્થન આપીએ છીએ. અમારા તમામ પ્રયાસો માનવતાને પ્રાધાન્ય આપે છે. ભારત આવનારા સમયમાં તમામ શક્ય સહયોગ આપવા તૈયાર છે.



ત્રણ મહિનામાં પીએમ મોદીની રશિયાની આ બીજી મુલાકાત છે. "છેલ્લા ત્રણ મહિનામાં રશિયાની મારી બે મુલાકાતો અમારા ગાઢ સંકલન અને ગાઢ મિત્રતાને પ્રતિબિંબિત કરે છે. જુલાઈમાં મોસ્કોમાં અમારી વાર્ષિક સમિટએ દરેક ક્ષેત્રમાં અમારો સહયોગ મજબૂત કર્યો છે," તેમણે કહ્યું. મોદીએ એમ પણ કહ્યું કે છેલ્લા 15 વર્ષમાં બ્રિક્સે પોતાની એક ખાસ ઓળખ બનાવી છે અને હવે દુનિયાના ઘણા દેશો તેમાં જોડાવા માંગે છે. "હું આવતીકાલે બ્રિક્સ સમિટમાં ભાગ લેવા માટે આતુર છું,