રામલ્લા, ફિલીસ્તીન: ફિલીસ્તીનમાં તૈનાત ભારતના પ્રતિનિધિ મુકુલ આર્યનું રવિવારે અવસાન થયું હતું. રવિવારે રામલ્લા સ્થિત દૂતાવાસમાંથી તેમનો મૃતદેહ મળી આવ્યો હતો. વિદેશ મંત્રી ડૉ. એસ જયશંકરે મુકુલ આર્યના નિધન પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે. ફિલીસ્તીનમાં ભારતીય રાજદૂતના નિધન પર ટ્વિટ કરીને દુખ વ્યક્ત કર્યું હતું.


ડૉ.જયશંકરે વ્યક્ત કર્યું દુઃખ
ડૉ એસ જયશંકરે ટ્વીટ કર્યું, “રામલ્લામાં ભારતના પ્રતિનિધિ શ્રી મુકુલ આર્યના નિધન વિશે જાણીને ઊંડો આઘાત લાગ્યો. તે તેજસ્વી અને પ્રતિભાશાળી અધિકારી હતા, તેમની સામે ઘણું બધું હતું. મારું હૃદય તેમના પરિવાર અને પ્રિયજનો માટે છે. શાંતિ.'


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube