વોશિંગ્ટન: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની સરકારે કહ્યું છે કે તેઓ ભારતને મળેલા જીએસપી દરજ્જાનો અંત લાગવવાના પોતાના નિર્ણયથી પીછેહટ કરવાની નથી. ટ્રમ્પે 4 માર્ચના રોજ આ અંગે જાહેરાત કરી હતી કે તે જીએસપી કાર્યક્રમમાંથી ભારતને બહાર કરવાના છે. ત્યારબાદ 60 દિવસની નોટિસ સમય મર્યાદા 3જી મેના રોજ સમાપ્ત થઈ ગઈ. હવે આ અંગે કોઈ પણ સમયે અધિકૃત જાહેરાત થઈ શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ દેશે નિભાવી 'મિત્રતા', PM મોદીના શપથ સમયે કર્યું એવું કામ કે દુનિયા જોતી રહી ગઈ, VIDEO


અમેરિકાના એક અધિકારીએ નામ ગોપીનીય રાખવાની શરતે કહ્યું કે, "ગત એક વર્ષથી ભારતીય સમકક્ષો સાથે ચાલતી વાતચીત બાદ છેલ્લે માર્ચમાં અમારે જાહેરાત કરવી પડી કે ભારતને હવે જીએસપી હેઠળ મળતા લાભથી વંચિત રાખવામાં આવે."


તેમણે કહ્યું કે, "આ સસ્પેન્શન હવે નક્કી જ છે. વાત એ છે કે અમે આગળ કેવી રીતે વધીએ, અમે નરેન્દ્ર મોદીની સરકાર સાથે કઈ રીતે કામ કરી શકીએ તેનો રસ્તો શોધવા માટે."


જુઓ LIVE TV


વિશ્વના વધુ સમચારો વાંચવા માટે કરો ક્લિક...