જકાર્તા: ઇંડોનેશિયાની રાજધાની જકાર્તાથી ઉડાન ભર્યા બાદ એક ફ્લાઇટ ગુમ થઇ હોવાનું કહેવામાં આવી રહ્યું છે. રિપોર્ટ્સ શ્રીવિજયા એરની ફ્લાઇટ નંબર એસજે 182માં 59 મુસાફર છે. આ વિમાનની શોધખોળ માટે બચાવ અભિયાનને શરૂ કરી દીધું છે. અત્યાર સુધી ફ્લાઇટના લોકેશન વિશે કોઇ જાણકારી મળી શકી છે.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ફ્લાઇટ રડાર 24 (FlightRadar24) ના અનુસાર આ વિમાન બોઇંગ 737-500 શૃંખલાનું છે. જેને શનિવારે સાંજે જકાર્તાના સોકાર્નો હટ્ટા એરપોર્ટ પરથી ઉડાન ભરી હતી. કહેવામાં આવી રહ્યું છે કે ઉડાન ભર્યાના ચાર મિનિટ બાદ જ વિમાન સાથે સંપર્ક તૂટી ગયો હતો. 


શું તમે પ્રેમ અને ક્રશમાં Confused છો? આ રીતે ખબર પડશે હાલ-એ-દિલ


વિવાદોમાં રહ્યું છે બોઇંગનું 737 મેક્સ વિમાન
જકાર્તાથી જે વિમાન ગાયબ થયું છે તે પણ બોઇંગનું 737 મેક્સ સીરીઝનું હોવાનું કહેવામાં આવી રહ્યું છે. આ વિમાનની સુરક્ષાને લઇને પહેલાં પણ સવાલ ઉભા થયા છે. સમાચાર મળ્યા છે કે બોઇંગ આ વિમાનનું પ્રોડક્શન પણ બંધ કરવાનું વિચાર કરી રહી છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube