રોમ: કોરોના વાઈરસનો કેર સૌથી વધુ ચીન બાદ ઈટાલીમાં જોવા મળ્યો છે. લેટેસ્ટ રિપોર્ટ મુજબ ઈટાલીમાં સોમવારે કોરોના વાયરસના કારણે 349 લોકોએ જીવ ગુમાવ્યાં. આ વાયરસના કારણે ઈટાલીમાં અત્યાર સુધીમાં 2158 લોકોના મોત થઈ ચૂક્યા છે. અધિકૃત નિવેદન મુજબ આ દેશમાં કોરોના વાયરસ બમણી ઝડપથી ફેલાઈ રહ્યો છે. ચાર દિવસ પહેલા જ ઈટાલીમાં કોરોના વાઈરસના 15113 દર્દીઓ હતાં. જે હવે 27980 થઈ ગયા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ બાજુ ભારતમાં કોરોના વાયરસના સાંજ સુધીમાં 114 પોઝિટિવ કેસ સામે આવ્યાં છે. તાજા કેસ ઓડિશા, જમ્મુ અને કાશ્મીર, લદ્દાખ અને કાશ્મીરમાં જોવા મળ્યાં. શંકાસ્પદ કેસોમાંથી 17 વિદેશી છે. કોરોના વાયરસના ફેલાવાને રોકવા માટે ભારત સરકારે 16 માર્ચના રોજ યુરોપીય સંઘ, યુરોપીય ફ્રી ટ્રેડ એસોસિએશન, તુર્કી, અને બ્રિટનથી આવતી તમામ ફ્લાઈટ્સ પર પ્રતિબંધ લગાવ્યો છે. આ આદેશ 18 માર્ચથી લઈને 31 માર્ચ સુધી પ્રભાવિત રહેશે. ત્યારબાદ સ્થિતિની સમીક્ષા કરવામાં આવશે અને તેના આધારે નિર્ણય લેવાશે. 


આ સાથે જ યુએઈ, કતાર, ઓમાન અને કુવૈતથી આવતા તમામ મુસાફરોને 14 દિવસથી અનિવાર્ય રીતે અલગ આઈસોલેશનમાં રાખવામાં આવશે. દુનિયાભરમાં આ વાયરસના કારણે અત્યાર સુધીમાં 7000થી વધુ લોકોના મોત થઈ ચૂક્યા છે. 


જુઓ LIVE TV


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


વિશ્વના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...