નવી દિલ્હીઃ વિદેશ મંત્રી એસ જયશંકરે 18 ઓગસ્ટ અને 19 ઓગસ્ટ સુધી ચાલનારી યૂએનએસસીની ઉચ્ચ સ્તરીય બેઠકની બુધવારે અધ્યક્ષતા કરી હતી. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના કાર્યક્રમ બેઠળ બુધવારે સંરક્ષકોની રક્ષાઃ ટેક્નોલોજી અને શાંતિ સ્થાપના પર ચર્ચા થઈ. ખુલ્લી ચર્ચામાં એસ જયશંકરે કહ્યુ કે, ભારત યૂનાઇટ અવેયર પ્લેટફોર્મના રોલઆઉટમાં સંયુક્ત રાષ્ટ્રનું સમર્થન કરી રહ્યું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બેઠકમાં વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યુ કે, તેમને તે જણાવતા આનંદ થઈ રહ્યો છે કે ભારત યૂનાઇટ અવેયર પ્લેટફોર્મના રોલઆઉટમાં સંયુક્ત રાષ્ટ્રનું સમર્થન કરી રહ્યું છે. આ પહેલ તે આશા પર આધારિત છે કે વાસ્તવિક સમયના આધાર પર એક સંપૂર્ણ શાંતિ અભિયાનની કલ્પના, સમન્વય અને દેખરેખ રાખી શકાય છે. તેમણે આગળ કહ્યું કે, તકનીકી સુધાર સતત કરવો જોઈએ, તે પણ નક્કી કરવું જોઈએ કે નાગરિક પર કોઈપણ હુમલાનું અનુમાન લગાવી શકાય, રોકી શકાય કે તત્કાલ કાર્યવાહી કરી શકાય. 


અશરફ ગની પરિવાર સાથે અબુધાબીમાં, UAEએ કહ્યું - માનવતાના આધારે આશ્રય આપવામાં આવ્યો  


મહત્વનું છે કે બે દિવસ સુધી ચાલનાર સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના કાર્યક્રમ હેઠળ બુધવારે વાલીઓનું રક્ષણ: ટેકનોલોજી અને શાંતિ જાળવણી પર ખુલ્લી ચર્ચા હતી, જ્યારે બીજો કાર્યક્રમ 19 ઓગસ્ટ એટલે કે ગુરૂવારે થશે જેમાં આતંકીઓને કારણે આંતરરાષ્ટ્રીય સુરક્ષા માટે ખતરા પર એક ઉચ્ચ સ્તરીય બ્રીફિંગ થશે. 
 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube