નવી દિલ્હી: કુલભૂષણ જાદવ મામલે ઈન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ (ICJ)માં ભારતને મોટી સફળતા મળી છે. 15-1 બહુમતના આધારે જજોએ ભારતીય પક્ષની તમામ દલીલોને માની લેતા પાકિસ્તાનને કહ્યું કે તેઓ આ  કેસ પર પુર્નવિચાર કરે. કુલભૂષણ જાધવની ફાંસીની સજા પર રોક લગાવવામાં આવે અને તેમને કોન્સ્યુલર સુવિધા ઉપબલ્ધ કરાવવામાં આવે. સૂત્રોના જણાવ્યાં મુજબ ભારત સરકારના ઉચ્ચ સૂત્રોએ આ નિર્ણયને સંપૂર્ણ રીતે ભારતની જીત ગણાવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કુલભૂષણ કેસ: આ વકીલે રજુ કર્યો હતો ICJમાં ભારતનો મજબુત પક્ષ, ફી લીધી માત્ર 1 રૂપિયો


બીજી બાજુ આ ઘટનાક્રમથી પાકિસ્તાનની આંતરરાષ્ટ્રય સ્તરે ઠેકડી ઉડી છે અને આ કેસ તેના માટે શર્મિંદગીનું કારણ પણ બન્યો છે. આવામાં સવાલ એ ઉઠે છે કે કયા આધાર પર કહી શકાય કે આ કેસમાં ભારતની સંપૂર્ણપણે જીત થઈ? આ પાંચ પોઈન્ટ્સ પર નજર ફેરવો


1. કુલભૂષણ જાધવની ફાંસીની સજા અટકાવી છે


2. પાકિસ્તાનના રાષ્ટ્રીય ન્યાયાધિકાર ક્ષેત્રની મર્યાદા બતાવવામાં આવી. 


3. આઈસીજેએ પાકિસ્તાન મિલેટ્રી ટ્રાલને સ્વીકારી નહીં. પાકિસ્તાની મિલેટ્રેની છબી ફરીથી એકવાર ખરાબ થઈ. 


4. આંતરરાષ્ટ્રીય કોર્ટે સ્વીકાર્યું કે પાકિસ્તાને વિયેના સંધિનો ભંગ કર્યો. એક પ્રકારે ભારતના તર્કને સ્વીકારવામાં આવ્યો. પાકિસ્તાન કુલભૂષણને કોન્સ્યુલર સુવિધા ઉપલબ્ધ કરાવે તે માટે નિર્દેશ અપાયા. 


5. ભારતના કાનૂની તર્કોને એકદમ યોગ્ય ઠેરવવામાં આવ્યાં. આઈસીજેમાં કેસને લઈ જવાનો તર્ક પણ યોગ્ય ઠેરવવામાં આવ્યો. 


જુઓ લેટેસ્ટ વીડિયો


વિશ્વના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...