નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસના ભૂટાન પ્રવાસે છે. આજે બીજા દિવસે તેઓ રોયલ યુનિવર્સિટી ઓફ ભૂટાનના વિદ્યાર્થીઓને સંબોધન કર્યું. આ દરમિયાન તેમણે કહ્યું કે 130 કરોડ ભારતીયોના દિલમાં ભૂટાન વસે છે. ભૂટાનના સૌંદર્યથી દુનિયા પ્રભાવિત થાય છે. તેમણે કહ્યું કે હું આજે ભૂટાનના ભવિષ્ય સાથે છું. ભારત ગરીબી સામે ઝડપથી લડી રહ્યું છે. ભારત અને ભૂટાન વચ્ચે ખાસ સંબંધ છે. બંને દેશોના સંયુક્ત સપના છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પીએમ મોદીએ ભારતના અંતરિક્ષ પ્રોગ્રામનો ઉલ્લેખ કરતા કહ્યું કે અમે 2022 સુધીમાં કોઈ ભારતીયને અંતરિક્ષમાં મોકલીશું. હું આશા કરું છું કે ભૂટાન પણ સેટેલાઈટ બનાવશે. પીએમ મોદીએ કહ્યું કે આજના જમાનામાં ભારતમાં ઐતિહાસિક ફેરફાર થઈ રહ્યાં છે. તેમણે કહ્યું કે ભારત અને ભૂટાન જેવી સમજ કોઈ દેશમાં નથી. ભારત અને  ભૂટાન ફ્કત ભૂગોળની રીતે જ નજીક નથી પરંતુ અમારી સંસ્કૃતિ, ઈતિહાસ અને પરંપરાઓના કારણે બંને દેશોના લોકોમાં જોડાણ છે. 


પીએમ મોદીએ કહ્યું કે મેં ભગવાન બુદ્ધના શિક્ષણથી પ્રેરિત થઈને એક્ઝામ વોરિયર્સ પુસ્તક લખ્યું. તમે વિદ્યાર્થીઓ પરીક્ષાનો તણાવ ન લો. તેમણે કહ્યું કે યુવા અને આધ્યાત્મિકતા અમારી તાકાત છે. હાલના જમાનામાં દુનિયામાં તકોની કોઈ કમી નથી. આ તકોનો યુવાઓ ફાયદો ઉઠાવે. 


જુઓ LIVE TV


વિશ્વના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...