નવી દિલ્હી: મલેશિયા એરલાઈન્સ ફ્લાઈટ 370એ 8 માર્ચ 2014ના રોજ કુઆલાલંપુર આંતરરાષ્ટ્રીય એરપોર્ટથી પોતાના નિર્ધારીત સમય પર ઉડાણ ભરી હતી પરંતુ ત્યારબાદ તે રડારથી ગાયબ થઈ ગયું હતું. તેમાં 239 લોકો સવાર હતાં. ત્યારબાદ પ્લેનના અવશેષો હિન્દ મહાસાગરમાં મળી આવ્યાં હતં. આ મામલે એક મેગેઝીનના અહેવાલમાં ચોંકાવનારી માહિતી આપવામાં આવી છે. દાવો કરવામાં આવ્યો છે કે આ વિમાનને તે વખતે સંભાળી રહેલા પાઈલટ ઝાહિરી અહેમદ શાહે જાણી જોઈને વિમાન ક્રેશ કર્યું હતું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મેગેઝીન ધ એટલાન્ટિકના એક રિપોર્ટ મુજબ શાહ ડિપ્રેશનથી પીડાતો હતો. તેના અંગત જીવનમાં ઉથલપાથલ મચેલી હતી. તે બે મોડલ્સ માટે પાગલ હતો. તેમની તસવીરો તેણે ઈન્ટરનેટ પર જોઈ હતી. એર હોસ્ટેસની સાથે સંબંધ હોવાના કારણે તેની પત્નીએ પણ તેને છોડી દીધો હતો. તેની માનસિક સ્થિતિ સારી નહતી. 


યાત્રીઓ વિમાન ક્રેશ થયું તે પહેલા જ મરી ચૂક્યા હતાં!
રિપોર્ટના લેખકે દાવો કર્યો છે કે તપાસમાં એવું સામે આવ્યું છે કે વિમાનના ઉપકરણોને મેન્યુઅલી બંધ કરવામાં આવ્યાં હતાં. એટલું જ નહીં પરંતુ પાઈલટ પહેલેથી જ વિમાનને ક્રેશ કરી નાખવાનું મન બનાવી ચૂક્યો હતો. તેને અંજામ આપતા પહેલા તે વિમાનને એટલી ઊંચાઈ પર લઈ ગયો કે જ્યાં વિમાનની અંદર ઓક્સિજનની કમી આવી જાય છે. 


જુઓ LIVE TV


વિશ્વના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...