સોમાલિયાના તટ પાસે અપહરણ કરાયેલા એમવી લીલા નોરફોક અંગે ભારતીય નેવીએ મોટું પગલું ભરતા INS ચેન્નાઈને અપહ્રત જહાજ તરફ મોકલી દીધુ છે. હાઈજેક કરાયેલા જહાજના ક્રુ સભ્યોમાં 15 ભારતીયો પણ સામેલ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ન્યૂઝ એજન્સી ANI એ સૈન્ય અધિકારીના હવાલે આ અંગે જાણકારી આપતા કહ્યું કે ભારતીય નેવીનું યુદ્ધવાહક જહાજ આઈએનએસ ચેન્નાઈ અપહરણની સ્થિતિને પહોંચી વળવા માટે અપહ્રત જહાજ તરફ આગળ વધી રહ્યું છે. આ અગાઉ સૈન્ય અધિકારીએ કહ્યું હતું કે ભારતીય નેવી અપહરણ કરાયેલા જહાજ એમવી લીલા નોરફોક કે જેના વિશે ગુરુવારે સાંજે માહિતી મળી હતી, તેના પર કડક નિગરાણી રાખી રહી છે. 


Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube