ઇસ્લામાબાદઃ પાકિસ્તાનમાં આવેલા ભીષણ પૂરથી તબાહી જોવા મળી રહી છે. લાખો લોકો પૂરને કારણે પોતાના ઘર છોડીને સુરક્ષિત સ્થળો પર પહોંચી ગયા છે. પાકિસ્તાનના લાખો લોકો પૂરની ઝપેટમાં આવી ગયા છે. આ વચ્ચે પાકિસ્તાનને આંતરરાષ્ટ્રીય સ્તર પર મદદ અને સંવેદનાઓનો દૌર શરૂ થઈ ગયો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ પાકિસ્તાનમાં આવેલા પૂર પર દુખ વ્યક્ત કરતા પીડિતો, ઘાયલો અને આ પ્રાકૃતિક આપદાથી પ્રભાવિત બધા લોકોના પરિવારો પ્રત્યે હાર્દિક સંવેદના વ્યક્ત કરી હતી. હવે પીએમ મોદીના આ ટ્વીટ પર પાકિસ્તાનના પ્રધાનમંત્રી શાહબાઝ શરીફે આભાર વ્યક્ત કર્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પીએમ મોદીએ કર્યું હતું ટ્વીટ
પીએમ મોદીએ પોતાના ટ્વીટમાં લખ્યું હતું કે પાકિસ્તાનમાં આવેલા પૂરથી થયેલી તહાબી જોઈને દુખ થયું. અમે પીડિતો, ઘાયલો અને આ પ્રાકૃતિક આપદાથી પ્રભાવિત બધા લોકોના પરિવારો પ્રત્યે પોતાની હાર્દિક સંવેદના વ્યક્ત કરીએ છીએ અને જલદી સામાન્ય સ્થિતિ યથાવત થવાની આશા વ્યક્ત કરીએ છીએ. 


વિજય માલ્યાએ ટ્વીટ કરી આપી ગણેશ ચતુર્થીની શુભેચ્છા, લોકોએ કહ્યું- આજે SBI બંધ છે


પાકિસ્તાનમાં પૂર બાદ બીમારીનો ખતરો
પાકિસ્તાનમાં ચોમાસુ વરસાદે દેશમાં ભીષણ તબાહી મચાવી છે. જેમાં અત્યાર સુધી 1100 જેટલા લોકોના મોત થયા છે. પૂરને કારણે ખેતરમાં ઉભેલો પાક પણ ધોવાયો છે. તો જે લોકો બચી ગયા છે તે સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાનો સામનો કરી રહ્યાં છે. સ્વાસ્થ્ય અધિકારીઓનું કહેવું છે કે સ્થિતિ ગંભીર છે, સિંધ, બલૂચિસ્તાન, દક્ષિણી પંજાબ અને ખૈબર પખતૂનખ્વાના પૂર પ્રભાવિત વિસ્તારમાં લોકો અનેક બીમારીનો સામનો કરી રહ્યાં છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube