ઈસ્લામાબાદ: પાકિસ્તાને ઈદના અવસરે કાશ્મીરીઓનો હવાલો આપીને મોટી જાહેરાત કરી છે. પાકિસ્તાની મીડિયા નિયામક પ્રાધિકરણ (Pakistani Media Regulatory Authority)એ મીડિયા સંસ્થાનોને કહ્યું છે કે "તેઓ ઈદ ઉલ અઝહા પર પહેલેથી રેકોર્ડ  કરેલા કાર્યક્રમો કે વિશેષ કાર્યક્રમોનું લાઈવ પ્રસારણ ન કરે, કારણ કે તેનાથી ફક્ત આપણા દેશના જ નહીં, પરંતુ કાશ્મીરી ભાઈઓની ભાવનાઓને પણ ચોટ પહોંચી શકે છે." મીડિયાએ આ જાણકારી આપી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

J&Kમાંથી કલમ 370 હટાવાતા ધૂંધવાયેલું પાકિસ્તાન ફરી UNSCમાં જશે, આ દેશ આપશે સાથ


રેગ્યુલેટરી ઓથોરિટીએ શનિવારે બહાર પાડેલા એક નોટિફિકેશનમાં કહ્યું કે કાશ્મીર માટે એકજૂથતા દર્શાવવા, ઈદ ઉલ અઝહાના ધાર્મિક પર્વ તરીકે સાદગીથી ઉજવવામાં આવી રહ્યો છે. આથી એવી અપીલ કરવામાં આવે છે કે કોઈ વિશેષ કાર્યક્રમ (પહેલેથી રેકોર્ડ કે નિયોજિત લાઈવ) ન થાય. ઈદના જશ્ન સ્વરૂપે પ્રસારિત થવાના કારણે તેનાથી આપણા દેશ જ નહીં પરંતુ કાશ્મીરી ભાઈઓની ભાવનાઓને પણ ચોટ પહોંચી શકે છે. 


સમાચાર પત્ર પાકિસ્તાન ટુડેના જણાવ્યાં મુજબ નોટિફિકેશનમાં કહેવાયું છે કે પાકિસ્તાનના સ્વતંત્રતા દિવસ 14 ઓગસ્ટને બહાદુર કાશ્મીરીઓ સાથે એકજુથતા દર્શાવતા મનાવવામાં આવશે. રેગ્યુલેશન ઓથોરિટીએ કહ્યું કે ભારતના સ્વતંત્રતા દિવસ 15 ઓગસ્ટને કાળા દિવસ તરીકે ઉજવવામાં આવશે અને રાષ્ટ્રીય ધ્વજ અડધી કાઠીએ ફરકાવવામાં આવશે. 


જુઓ LIVE TV


વિશ્વના વધુ સમાચાર વાંચવા માટે કરો ક્લિક...