નવી દિલ્હી: આંતરરાષ્ટ્રીય સ્તરે ખુબ અપમાન થવા છતાં પાકિસ્તાન પોતાની નાપાક હરકતોમાંથી બહાર આવતું નથી. પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને એકવાર ફરીથી ભારતને યુદ્ધની પોકળ ધમકી આપી છે. ઈમરાન ખાને પાકિસ્તાન અધિકૃત કાશ્મીરના મામલે કહ્યું છે કે મોદી સરકાર જો પીઓકે પર કઈ પણ કરશે તો પાકિસ્તાન પણ તૈયાર રહેશે. તેમણે કહ્યું કે બે પરમાણુ શક્તિઓ (ભારત અને પાકિસ્તાન) વચ્ચે યુદ્ધ થશે તો તેની અસર સમગ્ર દુનિયા પર પડશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કાશ્મીર મુદ્દે ધોબીપછાડ મળ્યા બાદ PAKનો નવો પેંતરો, આ રાજ્ય સુધી પહોંચાડી રહ્યું છે 'ઝેર'


આ અગાઉ તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની મુલાકાત બાદ પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને કહ્યું હતું કે ભારતે અમને દેવાળીયા કરવાની કોશિશ કરી છે. આ સાથે જ ઈમરાન ખાને ફરી એકવાર કાશ્મીર રાગ પણ આલાપ્યો છે. 


જુઓ LIVE TV


વિશ્વના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...