કરાચી: જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ 370 હટાવાયા બાદથી પાકિસ્તાન બરાબર ધૂંધવાયું છે. ભારતને યુદ્ધની પોકળ ધમકીઓ આપ્યાં કરે છે. વૈશ્વિક સમુદાય સમક્ષ પણ કાશ્મીર મુદ્દાનું આંતરરાષ્ટ્રીયકરણ કરવામાં લાગ્યું છે. એ વાત અલગ છે કે કોઈ તેને ભાવ આપતું નથી અને ભારત તથા પાકિસ્તાન વચ્ચે મધ્યસ્થતાની રજુઆત કરનારા અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પણ હવે પીએમ મોદી સાથેની મુલાકાત બાદ યુ ટર્ન મારી દીધો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કાશ્મીર મુદ્દે ભલે પાકિસ્તાન ભારતને જંગની ધમકીઓ આપ્યા કરે પરંતુ કંગાળ આર્થિક સ્થિતિ અને બદહાલ હાલત સામે ઝઝૂમી રહેલા દેશની ઘરેલુ સમસ્યાઓની તસવીરો દુનિયાભરમાં તેને શર્મિંદગીનો અનુભવ કરાવી રહી છે. હાલ પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં લોકો માખીઓના આતંકથી ખુબ પરેશાન છે. સ્થિતિ એટલી વણસી ગઈ છે કે આ મામલો માત્ર વિધાનસભામાં તો ઉઠ્યો જ પરંતુ સાથે સાથે આ માખીઓથી મુક્તિ મેળવવા માટે ખાસ દુઆ કરવાની પણ માંગણી ઉઠી. અખબાર 'જંગ'ના રિપોર્ટમાં આ જાણકારી આપવામાં આવી છે. 


જુઓ LIVE TV


વિદેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...