સિઓલ: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે સાઉથ  કોરિયામાં આયોજિત એક કાર્યક્રમમાં કહ્યું કે દુનિયા સામે બે મોટા સંકટ છે. આતંકવાદ અને જળવાયુ પરિવર્તન (ક્લાઈમેટ ચેન્જ) તેમણે કહ્યું કે આતંકવાદે સમગ્ર દુનિયાને લલકારી છે. આ અગાઉ પીએમ મોદીએ સિઓલમાં આયોજિત એક કાર્યક્રમમાં કહ્યું કે ભારતીય અર્થવ્યવસ્થાનો પાયો મજબુત છે અને તે જલદી પાંચ હજાર અબજ ડોલરની અર્થવ્યવસ્થા બનવા જઈ રહી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તેઓ અહીં ભારત-કોરિયા ટ્રેડ ફેરને સંબોધન કરી રહ્યાં હતાં. મોદીએ કહ્યું કે ભારત હવે પહેલા કરતા વધુ ઓપન અર્થવ્યવસ્થા છે. છેલ્લા ચાર વર્ષમાં દેશમાં 250 અબજ ડોલરનું પ્રત્યક્ષ વિદેશી રોકાણ (એફડીઆઈ) આવ્યું છે. તેમણે કહ્યું કે દુનિયામાં કોઈ પણ મોટી અર્થવ્યવસ્થા આ પ્રકારે વર્ષે વર્ષે સાત ટકાના વૃદ્ધિદરથી વધી નથી. આર્થિક સુધારાના  કારણે વિશ્વ બેંકની કારોબાર સુગમતા સૂચિમાં મોટી છલાંગ લગાવીને ભારત 77માં સ્થાને પહોંચી ગયું છે. 


બે દિવસના પ્રવાસે દ.કોરિયા પહોંચ્યા પીએમ મોદી, 'ભારત માતા કી જય'થી થયું સ્વાગત 


મોદીએ કહ્યું કે આગામી વર્ષ સુધી તેમણે ભારતને ટોચના 50 કારોબાર સુગમતાવાળા દેશોની સૂચિમાં સામેલ કરવાનું લક્ષ્યાંક રાખ્યું છે. મોદીએ કહ્યું કે સરકારનું કામ સહયોગની પ્રણાલી ઉપલબ્ધ કરાવવાનું છે. ભારત અવસરોની ભૂમિ તરીકે ઊભરીને સામે આવ્યું છે. 


વિદેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...