Nupur Sharma Row: ભારતીય જનતા પાર્ટીના સસ્પેન્ડેડ પ્રવક્તા નુપુર શર્મા પયગંબર મોહમ્મદ પર વિવાદિત નિવેદન બાદ ખુબ ચર્ચામાં છે. તેમના નિવેદનથી મુસ્લિમ દેશોમાં  ભારે હંગામો મચ્યો છે. તેઓ સતત ભારત પર નિશાન સાધી રહ્યા છે. પાડોશી દેશ પાકિસ્તાનમાં પણ નુપુર શર્મા વિરુદ્ધ પ્રદર્શન થયું. પરંતુ હવે આ બધા વચ્ચે તેમના સમર્થન માટે પણ અવાજ ઉઠી રહ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પાકિસ્તાનના મૌલાના એન્જિનિયર મોહમ્મદ અલી મિર્ઝાએ નુપુર શર્મા વિશે જે કહ્યું તે જાણવા જેવું છે. તેમણે નુપુરનું સમર્થન કરવાની સાથે સાથે મુસલમાનો પર આરોપ પણ લગાવ્યા. મૌલાના અલીએ કહ્યું કે મુસ્લિમ પેનલિસ્ટે પહેલા નુપુર શર્માને ભડકાવ્યા અને તેના જવાબમાં ભાજપના સસ્પેન્ડેડ પ્રવક્તાએ પયંગબર વિશે ટિપ્પણી કરી. 


મોહમ્મદ અલી મિર્ઝાએ કહ્યું કે પહેલા દોષિત તે મુસલમાન છે જેણે કોઈના ધર્મ વિશે લાઈવ ટીવીમાં વાત કરી. તેમણે કહ્યું કે આપણે આ સમગ્ર વિવાદમાં સમગ્ર માહોલને જોવા પડશે. નુપુર શર્માના નિવેદનના અંદાઝથી એ ખબર પડી જશે કે તે પલટવાર કરી રહ્યા છે. નુપુર શર્માએ કહ્યું કે જો તમે આ પ્રકારે વાત કરશો તો અમે પણ એવું કહીશું. તેમણે કહ્યું કે પહેલો અપરાધી તે મુસલમાન છે જેણે કોઈના ધર્મ વિશે લાઈવ ટીવી પ્રોગ્રામમાં વાત કરી. 


Pakistan: પેટ્રોલના ભાવમાં કમરતોડ વધારો, પ્રતિ લીટર 24 રૂપિયા વધ્યા, જાણો કેટલી થઈ કિંમત


વિશ્વના વધુ સમાચાર વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube