મોસ્કો: યુક્રેન સાથેના યુદ્ધની વચ્ચે રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને શનિવારે કહ્યું કે અત્યારે એવું કંઈ નથી જે રશિયામાં માર્શલ લો લગાવવો પડે. તમને જણાવી દઈએ કે પુતિને આ નિવેદન એવા સમયે આપ્યું છે જ્યારે એવી અટકળો ચાલી રહી હતી કે રશિયામાં માર્શલ લૉ લાગુ થઈ શકે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

માર્શલ લો લગાવવાની સ્થિતિ નથી!
પુતિને કહ્યું કે જે દેશમાં બહારી હુમલો થાય છે ત્યાં માર્શલ લૉ લગાવવામાં આવે છે. તેમણે કહ્યું કે તેમને રશિયામાં આવી કોઈ સ્થિતિ દેખાતી નથી અને આશા છે કે આવી સ્થિતિ ઊભી ન થાય.


બહારની દખલગીરી સ્વીકારવામાં આવશે નહીં
રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિને પણ કહ્યું હતું કે કોઇ પક્ષ દ્વારા યુક્રેન પર 'નો ફ્લાય ઝોન' જાહેર કરનારને મોસ્કો "યુદ્ધમાં જોડાવા" સામેલ ગણશે. મહિલા પાયલોટ સાથેની બેઠકમાં પુતિને શનિવારે કહ્યું હતું કે આ દિશામાં કોઈપણ પગલાને રશિયા દ્વારા બહારની દખલ અને રશિયન સૈન્ય માટે ખતરો માનવામાં આવશે. "તે જ ક્ષણે અમે તેમને લશ્કરી સંઘર્ષમાં સામેલ હોવાનું ધ્યાનમાં લઈશું અને તેઓ કોના સભ્યો છે તેનાથી કોઈ ફરક પડતો નથી.

NATO ને કહી આ વાત 
યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સકીએ નાટોને વિનંતી કરી છે કે તેઓ તેમના દેશની એરસ્પેસને 'નો ફ્લાય ઝોન' જાહેર કરે. નાટોનું કહેવું છે કે આવા 'નો ફ્લાય ઝોન' જાહેર કરવાથી યુક્રેનની ઉપર તમામ અનધિકૃત એરક્રાફ્ટ પર પ્રતિબંધ લાગશે, જે પરમાણુ સશસ્ત્ર રશિયા સાથે યુરોપિયન દેશો વચ્ચે મોટા પાયે યુદ્ધ તરફ દોરી જશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube