નવી દિલ્હીઃ Eight Ex Navy Officer Death Sentence: કતરમાં મોતની સજા પામેલા 8 પૂર્વ ભારતીય નૌસૈનિકોને ગુરૂવાર (28 ડિસેમ્બર) એ મોટી રાહત મળી છે. ભારત સરકારની અપીલ પર તમામ આઠ લોકોની મોતની સજા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. વિદેશ મંત્રાલયે જણાવ્યું કે મામલાને લઈને કતરમાં સ્થિત કોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો. સુનાવણી દરમિયાન કોર્ટે સજા ઘટાડી દીધી હતી. 


વિદેશ મંત્રાલયે કહ્યું- વિસ્તૃત તપાસનો આદેશ છે. અમારી કાયદાકીય ટીમ આઠ ભારતીયોના પરિવારોના આગામી પગલાને લઈને સંપર્કમાં છે. વિદેશ મંત્રાલય તરફથી કહેવામાં આવ્યું કે અમે મામલાની શરૂઆતથી તેમની સાથે હતા અને અમે બધાને કાયદાકીય સહાયતા આપવાનું યથાવત રાખીશું. અમે આ મામલાને કતરના અધિકારીઓ સમક્ષ ઉઠાવવાનું પણ જારી રાખીશું. આ મામલાની કાર્યવાહીની ગોપનીયતા અને સંવેદનશીલતાને કારણે આ સમયે કોઈ ટિપ્પણી કરવી યોગ્ય રહેશે નહીં. 


Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube