લંડનઃ બ્રિટેનના મહારાણી એલિઝાબેથને લઈને એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે. મહારાણી એલિઝાબેથે ફાની દુનિયાને અલવિદા કહી દીધું છે. મહારાણી હાલમાં સ્કોટલેન્ડમાં તેના બાલમોરલ કેસલમાં છે. મહારાણીના શાસનને 70 વર્ષ થઈ ચૂક્યા છે અને તેમણે 15 પ્રધાનમંત્રીઓનો કાર્યકાળ જોયો છે. નાદુરસ્ત તબિયતને લીધે મહારાણીએ પોતાની 'પ્રિવી કાઉન્સિલ' મીટિંગ પણ રદ કરી દીધી હતી. ડોક્ટરો દ્વારા તેમને આરામ કરવાનું કહેવામાં આવ્યું હતું. 


હવે સવાલ એ ઉભો થાય છે કે મહારાણી એલિઝાબેથના અવસાન પછી શું થશે? બ્રિટન સરકાર દ્વારા સંપૂર્ણ પ્લાન બનાવવામાં આવ્યો છે. આ સમગ્ર પ્લાનને ઓપરેશન લંડન બ્રિજ કોડનેમ આપવામાં આવી છે. આ કોડ ઘણા વર્ષો સુધી ગુપ્ત રાખવામાં આવ્યો હતો, પરંતુ થોડા વર્ષો પહેલા તેના વિશે ઘણી મહત્વપૂર્ણ માહિતી પ્રકાશમાં આવી હતી. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube