કોલંબોઃ શ્રીલંકાના પ્રધાનમંત્રી રાનિલ વિક્રમસિંઘેએ શુક્રવારે સંસદના અધ્યક્ષ મહિન્દા યાપા અભયવર્ધને દ્વારા ગોટાબાયા રાજપક્ષેનું રાજીનામુ સ્વીકાર કર્યા બાદ અંતરિમ રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા છે. ડેલીમિરરે પ્રધાનમંત્રીના મીડિયા વિભાગના હવાલાથી જણાવ્યુ કે મુખ્ય ન્યાયાધીશ જયંત જયસૂર્યા સમક્ષ વિક્રમસિંઘેએ અંતરિમ રાષ્ટ્રપતિના રૂપમાં શપથ લીધા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વિક્રમસિંઘેને 13 જુલાઈએ પૂર્વ રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષે દ્વારા કાર્યવાહક રાષ્ટ્રપતિના રૂપમાં નિયુક્ત કરવામાં આવ્યા હતા. રાજપક્ષે વિરુદ્ધ દેશમાં શરૂ થયેલા પ્રદર્શન બાદ તેઓ શ્રીલંકા છોડી માલદીવ ભાગી ગયા હતા. 


રાજપક્ષેએ કાલે આપ્યું હતું રાજીનામુ
ગોટાબાયા રાજપક્ષેએ સિંગાપુર પહોંચ્યા બાદ કાલે પોતાનું રાજીનામુ સોંપી દીધુ અને સત્તાવાર રીતે રાષ્ટ્રપતિનું પદ ખાલી કરી દીધુ હતું. સંસદ અધ્યક્ષ અભયવર્ધનેએ એએનઆઈને જણાવ્યું- હા રાજીનામુ (રાષ્ટ્રપતિનું) સ્વીકાર કરી લેવામાં આવ્યું છે. કાયદાકીય પ્રક્રિયાનું પાલન કરવામાં આવશે. સંસદ સભ્યોને આવતીકાલે રાષ્ટ્રપતિની ચૂંટણી કરાવવા માટે આમંત્રિત કરવામાં આવશે. 


USA ના એક નિર્ણયથી ભારત બનશે શક્તિશાળી, રશિયા ખુશખુશાલ, પણ ચીનને લાગશે મરચા


રાજપક્ષે સિંગાપુર પહોંચ્યા
મીડિયા રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે માલદીવથી ઉડાન ભરનાર રાજપક્ષે ગુરૂવારે સાંજે સઉદિયા એરલાયન્સની ઉડાનમાં સિંગાપુર પહોંચ્યા હતા. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube