નવી દિલ્હી: જમ્મુ અને કાશ્મીરમાંથી આર્ટિકલ 370 હટાવવાના મુદ્દે રશિયાએ ભારતનું ખુલીને સમર્થન કર્યું છે. આ અંગે રશિયાએ કહ્યું કે જમ્મુ અને કાશ્મીર મુદ્દે અમે ભારતની સાથે છીએ. કલમ 370 હટાવવી એ ભારતનો આંતરિક મામલો છે. જમ્મુ અને કાશ્મીર પર કોઈ ત્રીજો દેશ હસ્તક્ષેપ ન કરે. ભારત અને પાકિસ્તાન શિમલા કરાર અને લાહોર ઘોષણાપત્ર અંતર્ગત આ મામલાનો ઉકેલ લાવે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રશિયાના રાજદૂત નિકોલે કુલાશેવે આજે કહ્યું કે કલમ 370 પર નિર્ણય એ ભારત સરકારનો સંપ્રભુતા નિર્ણય છે. તે ભારતનો આંતરિક મામલો છે. કાશ્મીર મામલે ભારત અને પાકિસ્તાન વચ્ચે શિમલા કરાર અને લાહોર ઘોષણાપત્ર હેઠળ ઉકેલ લાવી શકાય છે. અમારા વિચાર બિલકુલ ભારત જેવા છે. 


વિદેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...